________________
૩૨. પાપબીજ-નાશ : આત્મસ્વાતંત્ર્ય :
જ IIIIIIIIIIIIIIIIIIIIIIIIIIIIIIIIIIIII IIIIIIIIIIIIII
IIIIIIIIIIIIIIIIIIII
આમાંથી બે વસ્તુ મોટી શીખવા મળે છે - (૧) પાપોને પશ્ચાત્તાપના જેશનો પ્રભાવ, ને (૨) શુભ અને શુદ્ધ ભાવ અંગે આત્માનું પૂર્ણ સ્વાતંત્ર્ય. (૧) પાપપશ્ચાત્તાપથી દુષ્કૃત્યબીજ નાશ :
અલબત્ પાપાચરણ ખરાબ વસ્તુ છે, પણ જે પાપ કર્યા પછીથી હૃદયથી સાચી સમજ આવી જાય, તો સેવેલાં પાપાચરણ ઉપર પોતાના પાપી આત્માની પ્રત્યે એટલી બધી ધૃણા-જુગુપ્સા ઊભી થાય છે, ને પાપાચરણનો એટલો બધો પશ્ચાત્તાપ સળગી ઉઠે છે, કે એમાં એ તમામ દુષ્કૃત્યોનાં બીજ બળીને સાફ થઈ જાય છે. આ દુષ્કૃત્યોનાં બીજ બળીને ખલાસ થઈ જવાં એ ઘણી મહાન વસ્તુ છે. એનું કારણ એ છે કે જીવ નવાં નવાં જનમમાં જે નવાં નવાં દુષ્કૃત આચરે છે, એમાં પૂર્વના સંસ્કાર બહુ કામ કરે છે. આ સંસ્કાર એ જ દુષ્કૃત્યનાં બીજ . એ સાચા પશ્ચાત્તાપથી બળી ઉઠે છે.
દુષ્કૃત્યોનાં બીજ પોતાનામાં હોવાની ખબર શી રીતે પડે? દુષ્કૃત્યોનાં બીજનાં લક્ષણ :
(૧) પહેલું તો પોતાને મિથ્યામતિ, ને કુમતિ હોય, જીવનમાં પાપોને કર્તવ્ય માનવાની દુર્બુદ્ધિ-દુરાગ્રહ હોય, એથી દુષ્કૃત્યોનાં બીજ અંદર પડ્યા હોવાનું સમજાય. હવે દુબુદ્ધિ પર ઘા પડે એટલે મહામોહનો આત્મા પરથી અધિકાર ઉઠે, વર્ચસ્વ ઉઠી જાય.
મોહનો અધિકાર ઉઠી ગયો એટલે -
(i) મોહના નચાવ્યા નાચવાનું મૂકી દેવાય. (ii) જ્ઞાનીનાં વચનનો આત્મા પર અધિકાર-વર્ચસ્વ સ્થપાય, (ii) એમના કહેલાં સત્કૃત્યો કર્તવ્ય લાગે, (iv) દુષ્કૃત્યોની મમતા પકડ છુટી જાય અને (v) સત્કૃત્યોની મમતા જાગે. મોહનો અધિકાર ઉઠાવવા માટે પણ આ ઉપાયો છે.
(૨) માટે દુષ્કૃત્યોનાં બીજનું બીજું લક્ષણ મહામોહનો અધિકાર, વર્ચસ્વ, આત્માની મહામોહ પ્રત્યે ગુલામી હોવી એ છે.
(૩) ત્રીજું લક્ષણ આ, કે દુષ્કૃત્યોની મમતા, ખુશી, દુષ્કૃત્યોના દેખાતા
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org