________________
૨૩૨
ન ધ્યાન અને જીવન એમ, લોક મારા ભરોસે, મારી ચાલાક વાણીમાં ફસી ધર્મ ભૂલ્યા, તેમાં પણ મેં લોકનો ય દ્રોહ કર્યો ગણાય. મારું કૃત્ય કેવું ગોઝારું?...”
દ્વેષ-દુબુદ્ધિનો પશ્ચાત્તાપઃ
પાછું વળી આવા સમર્થ પ્રભાવવંતા ધર્મને સાધનારા મહાત્માની પ્રત્યે ઈષ્ય કરી ? ને મેં એમને ઠેઠ બાળી નાખવા સુધીનો પેંતરો કર્યો ? આ મારું કેવું ગોઝારું કન્ય ? દુનિયામાં મને બીજો કોઈ દુષ્ટ ન દેખાયો, તે મેં આવા ધર્માત્માને જ દુષ્ટ દેખ્યા? કેવી મારી ખતરનાક દુર્બુદ્ધિ કે ગુણિયલના ગુણ ગાવાનું તો બાજુએ રહ્યું, પણ એમનામાં દુષ્ટતાનો મેં આરોપ કર્યો ! એમ તારણહાર ને પ્રભાવવંતા ધર્મ પર ભારોભાર દ્વેષ કરી મારણહાર નાસ્તિકતા અને અધર્મને સારા માનવાની તથા એ રીતે એનો પ્રચાર કરવાની પણ મારી કેવી ભયંકર દુર્બદ્ધિ ? મહાકિંમતી માનવબુદ્ધિનો આ કેટલો ભયંકર દુરુપયોગ !'
આત્મા-કર્મની સાબિતી :
અસંમત નાસ્તિકને ધર્મ અને ધર્મી પ્રત્યે કરેલ દ્રષ ઈર્ષ્યા અને દ્રોહ માટે પારાવાર પશ્ચાત્તાપ જાગ્યો. એમાં એને આત્મા, પરમાત્મા, ધર્મ, પુણ્ય-પાપ. વગેરે પર શ્રદ્ધા ઊભી થઈ ગઈ. એના મનને થયું કે ““જ્યારે આ મહર્ષિને પ્રત્યક્ષ કોઈ બચાવનું સાધન હતું નહિ અને પૂરમાં બીજા સાથે ડુબવાના તેમજ અગ્નિની વચમાં બળી રાખ થવાનાં પૂરાં કારણ હતાં, છતાં એ ન ડુબ્યા, કે ન લેશ બળ્યા, તો એ સૂચવે છે કે એ એમના ધર્મને આભારી હતું, એમના અદેશ્ય પુણ્યને આભારી હતું. તેમજ ધર્મ અને પુણ્ય કોઈ શરીરની વિશેષતા નહિ. શરીર તો જડ છે, પૌદ્ગલિક છે, એને વળી ધર્મ અને પુણ્ય શા? એટલે સાબિત થાય છે કે એ વિશેષતા આત્માની છે. માટે આત્મા જેવી વસ્તુ છે અને એના પર ધર્મવસ્તુ તથા પુણ્ય-પાપકર્મ જેવી વસ્તુ પણ છે. એ છે તો પરલોક-વસ્તુ ય છે. નહિતર તો આ જગતમાં વિચિત્ર અવતાર શા ? જન્મેલાઓમાં કઈ પ્રકારની વિચિત્રતાઓ શી ? એ બધું આત્મા અને કર્મ તથા પરલોક-વસ્તુને જ આભારી છે. પરલોકચિંતા આત્મચિંતા :
ત્યારે મેં આ જીવનમાં એ બધું ઉડાડવાની ધિક્કાઈ કરી?” લોકોનો દ્રોહ કર્યો? ધર્મગુરુઓને રંજાડ્યા? જીવનમાં જાતે કશો ધર્મ કર્યો નહિ? અભિમાન, વિષયલંપટતા, ધનતૃષ્ણા અને હિંસાદિ પાપો સેવ્યાં?
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org