________________
ન ધ્યાન અને જીવન ૨૨૯ – શ્રુતજ્ઞાનનું મહત્વ
અલબત મુનિને મળેલી શ્રુતજ્ઞાન અર્થાત્ શાસ્ત્રજ્ઞાનની શક્તિથી બીજાઓને એ જ્ઞાનનો વારસો આપી શ્રુત પરંપરા ટકાવે એ માટે પણ, ભલે રોગમાં પોતાને સમાધિ રહેતી હોય છતાં, મુનિ રોગના ઔષધોપચાર કરે, કેમકે રોગગ્રસ્ત અશક્ત શરીરે એ મુનિઓને શાસ્ત્ર વાચના ન આપી શકતા હોય અને એથી શાસ્ત્રજ્ઞાનની ધારા આગળ ન ચાલે, એની પરંપરા તૂટે, તો આગળ પર ભવ્ય જીવોનું કલ્યાણ ન થાય. આત્મકલ્યાણનું અતિ આવશ્યક સાધન શાસ્ત્રજ્ઞાન છે, એ ન મળતાં કલ્યાણ શી રીતે સધાય ? કલ્યાણની ખબર જ શી પડે ? જીવનમાં શાસ્ત્રતત્ત્વોની ખૂબ રટણા ન હોય તો મનને સંકલ્પ-વિકલ્પોથી બચાવવા બીજું કોણ છે ? એટલે આવા મહાન કલ્યાણ-સાધનભૂત શ્રુતજ્ઞાનની પરંપરા અવિચ્છિન્ન ચાલે એ માટે શ્રુતદાન અખંડિત રાખવું જોઈએ. એટલા જ માટે રોગને ઉપચારથી શાંત કરી દેવાય, તો શ્રુતજ્ઞાનની પરંપરા ટકાવી શકાય. સંતાનો પ્રત્યે શામાં બેદરકાર?:
તમને લોકોને શાસ્ત્રબોધના આ ઉંચા મહત્ત્વનો ખ્યાલ નથી, યા ખ્યાલ કદાચ હોય તો ય પરવા નથી, એટલે શ્રાવકોપયોગી શાસ્ત્રોના બોધ માટે નથી તો જાતે મહેનત કરવી, કે નથી સંતાનોને એ પમાડવા કોઈ દરકાર કરવી. સંતાન માટે બીજી અનેક દરકાર કરો છો, પરંતુ એનામાં સમ્યગ જ્ઞાન આવે એની દરકાર જ ક્યાં છે ? આજે તમે જે કાંઈ થોડું પણ શાસ્ત્રપદાર્થનું જ્ઞાન ધરાવો છો એટલું પણ સંતાનોને આપવા તમારી ધગશ છે ? ના, સ્કુલનું ભણાવવાની ને વેપાર-ધંધામાં જોડવાની પાકી ધગશ છે ! પણ માત્ર ધર્મબોધ આપવાની જ નહિ ! પછી એ બોધ વિના સંતાનની દિવસ-રાત કેવી વિચારસરણી રહેશે એનો વિચાર ખરો ? વિષય-કષાયોની ચકચૂર વિચારણા જ રહેવાની ને ? એથી એનું પરલોકમાં ક્યાં સ્થાન ? તો તમે એના હિતૈષી માબાપ થઈને અંતે એને આ જ પરખાવ્યું ને ? ખોટા વિચારોથી કેમ બચાય?: શાસ્ત્રરટણાનું મહત્ત્વ :
ત્યારે શું જાતે પણ રોજ ને રોજ બોધ વધારવાની પરવા ખરી ? મગજમાં શાસ્ત્રપદાર્થોને વારંવાર રટવાની પરવા ખરી ? જો નહિ, તો મનમાં પછી આર્તધ્યાન, ફજુલ વિચારો, ને પાપવિચારો ચાલ્યા કરે એમાં નવાઈ છે? નવનવો શાસ્ત્રશ્રમ ચાલુ નહિ તો કેવાં નુકસાન? :
(૧) નવા નવા બોધને ન વધાર્યો તો શું અજ્ઞાનપણે ખોટા વિચારો નહિ ચાલે?
(૨) ઉત્સુત્ર-ઉન્માર્ગની ખબર નથી તો એના ય વિચાર અને આચરણનો સંભવ નહિ રહે ?
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org