________________
૨૨૮
ધ્યાન અને જીવન
અટકાવી ? કેમ નહિ ? શું દેવ એ વિચારમાં હતા કે ‘ભલે ભગવાનના અશુભ કર્મનો આ નિમિત્તે ભોગવટો થઈ ક્ષય થઈ જાય ?' ના, એવો વિચાર ભક્ત કરે નહિ. તો તેજોલેશ્યા કેમ ન અટકાવી ? એ જ કહેવું પડે કે દેવતાનો આ તરફ એ ક્ષણે ખ્યાલ જ રહ્યો નહિ ! સ્વામીનું બળવાન અશુભ કર્મ જ એવું છે કે સેવકનો ખ્યાલ ભૂલાવે. રક્ષાનાં સાધનને ય સ્થગિત કરી દે !
ખંધકસૂરિના શિષ્યોને પાલક પાપીએ ઘાણીમાં પીલી નાખ્યા, દેવતા ક્યાં રક્ષા કરવા આવ્યા ? તે વખતે વિચરતા મુનિસુવ્રતસ્વામી-તીર્થંકરદેવ પાસે ક્રોડ દેવતાઓ હાજર જ હતા. પણ કેમ રક્ષા ન કરી ? ગજસુકુમાળના માથે સોમિલ સસરાએ અંગારા ભર્યા, દેવતાએ ક્યાં રક્ષા કરી ? એ વિચરતા ભગવાનની હયાતી-કાળમાં હતા એટલે દેવોની હાજરીના અને ગમનાગમનના સમયમાં એ વાત બની હતી. તો રક્ષા કેમ ન કરાઈ ? જવાબ એક જ કે,
તીવ્ર અશુભનો ઉદય હોય તો રક્ષાનાં સાધન પણ સ્થગિત થઈ જાય અને એ અશુભોદય વેઠી જ લેવો પડે,
;
પ્ર. - તપલબ્ધિથી જાતની રક્ષા કેમ કરે નહિ ?
ઉ. મહા તપસ્વી મહર્ષિઓને સ્વયં તપથી ભલે મહાલબ્ધિઓ ઊભી થઈ ગઈ હોય છતાં એનો ઉપયોગ એ પોતે પોતાના રોગ-ઉપદ્રવ ટાળવામાં નથી કરતા, કેમકે એમ કરવામાં એ દેખે છે કે
(૧) એક તો શરીરાદિનો રાગ પોષાય અને
(૨) બીજું એ સમજે છે કે અશુભ કર્મોને સમતાથી ભોગવી લીધાથી એનો નિર્મૂળ નાશ થઈ જાય એ આવકારવા યોગ્ય છે. એટલે મહામુનિઓ એવા મહા કપરા અવસરમાં પણ સમતા સમાધિ રાખી શકતા હોવાથી રોગાદિ ઉપદ્રવોને કર્મનાશમાં સહાયક મિત્ર સમજી એને શાંતિથી સહી લે છે ! તમને એમ થતું હશે કે,
પ્ર. અતિ અસહ્ય ઉપદ્રવ શે સહન થાય ?
-
-
ઉ. – ગૂમડા પર નસ્તર મૂકાવો તો પીડા ન થાય ? થાય, છતાં કેમ એ પીડા સહી લો છો ? સમજો છો કે આનાથી ગુમડું મટી જાય, તો એ જ પ્રમાણે સમજી લો કે રોગ-આફતની પીડા વધાવી લઈએ એટલે કર્મનાં ગુમડાં સાફ થતા જાય. મહાત્માઓ કર્મના ગુમડાંને ટાળવા રોગાદિ ઉપદ્રવોની અસહ્ય પીડા પણ સમતા-સમાધિથી સહી લે એ સ્વાભાવિક છે. સાથે સમતા-સમાધિનું બળ છે એટલે અસમાધિના યોગે થતા નવા કર્મબંધ એમને થવાના નથી. આ પરથી સમજાશે કે
મુનિ કેમ દવા લે છે ? સામાન્ય સમાધિ-બળવાળા મુનિઓ રોગ ટાળવા ઉપચાર કરે છે તે એટલા જ માટે કે હાયવોયથી રોગ સહી લે તો થોડાં અશુભનો નિકાલ તો થાય, પરંતુ અસમાધિના યોગે નવાં અશુભ બહુ ઘુસી જાય.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org