________________
ન ધ્યાન અને જીવન F૨૭પરંતુ અપકૃત્યના આવેશ જ એવા છે કે એ લોહીના લાડુ પર હરખના ઉન્માદ જગાવે.
ત્યાં એને જીવનમાં સારું શું આવડે ? એ તો એવા ધનથી કોઈ સુકૃત પણ કરી આવે તો ય ત્યાં લોક વાહવાહ દેખી મનને થવાનું કે “હાશ ! જો આ રીતે વેપાર ચલાવી પૈસા કમાયા, તો આવા સુકૃતથી વાહવાહ મળી.” આમ ત્યાં પણ સુકૃતની ચોખ્ખી અનુમોદનાને બદલે પોતે કરેલા અનીતિ આદિના દુષ્કૃત્યની જ ભારોભાર અનુમોદના થયા કરવાની ! અપકૃત્યની વિટંબણા ભારે ! એમાં દુર્ગાન અને નવાં નવાં પાપકર્મોનો પ્રવાહ આત્મા પર ચાલુ. ઉત્તમ ભવમાં આ પાપભર્યા સર્જન ન કરવા હોય તો નાશવંતના ક્ષણિક લાભમાં ન લલચાઓ, અપકૃત્યના આવેશ કદી ન રાખો,
અપકૃત્યથી મળેલા લાભને કસાઈના ધન જેવા સમજો.
*
* *
૩૧. નાસ્તિકનો પસ્તાવોઃ ખોટા વિચારો કેમ અટકે?
- શાસ્ત્રવ્યવસાય અતિ જરૂરી
milli
પેલો અસંમત ઘરે જઈને હરખ અનુભવી રહ્યો છે અને સવારે ઉદ્યાનમાં મુનિના શરીરની રાખ જેવા હોંશે હોંશે આવે છે. પરંતુ આ શું ? ત્યાં એ મુનિને આજુબાજુ રાખની વચમાં બરાબર ધ્યાનમાં જીવંત ઊભેલા જોઈ સ્તબ્ધ બની જાય છે કે “અરે આ શું? મુનિ બળી ગયા નહિ ?”
કેમ આમ બન્યું ? એટલા જ માટે કે મુનિના તપના પ્રભાવે અને મુનિની ભડભડતા અગ્નિ વચ્ચેથી પણ બહાર ન નીકળી જતાં ત્યાં જ ઊભા રહેવાનાં બૈર્ય અને શૈર્ય એક વ્યંતર દેવતા પ્રભાવિત થઈ ગયો, તે એણે મુનિની રક્ષા કરી ! તપ છતાં રક્ષા થવાનો નિયમ નહિ ?
પ્ર. - શું તપના પ્રભાવે દેવ રક્ષા કરે ?
ઉ. - ના રક્ષા કરે જ એવો નિયમ નથી; કેમ કે તપ છતાં બીજી બાજુ પોતાના તીવ્ર અશુભ અશાતા-વેદનીય આદિ કર્મનો ઉદય હોય તો દેવતાનો ખ્યાલ આ તરફ ન પણ જાય, અને રક્ષા ન થાય, એવું ય બને,
મહાવીર પ્રભુ પર ગોશાળાએ તેજોલેશ્યા નાખી; ભગવાન પાસે જઘન્યથી એક ક્રોડ દેવતા નિરંતર સેવામાં રહે છે, તો ક્યાં એમાંથી એક પણ દેવતાએ એ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org