________________
–૨૨)ને ધ્યાન અને જીવન - કરવામાં કોઈ સંકોચ જ નહિ ? જુઓ, દઢપ્રહારીએ બ્રાહ્મણના ઘેર ચોરી કરવા પેસતાં વચમાં ગાય આડી આવી તો એને કાપી નાખી ! એટલે ધિઠ્ઠાઈ આવી, તો અંદર જતાં ગર્ભિણી બ્રાહ્મણી સામે થવા પર એના ય પેટ ઉપર ઘા કરતાં સંકોચ ન અનુભવ્યો ! એ પછી ચોરીમાં કાંઈ નહિ મળતાં પાછો ફરે છે ત્યાં બ્રાહ્મણ સામો આવ્યો, તો એને પણ કાપી નાખ્યો !
અપકૃત્યોમાં ધિટ્ટાઈ આવે એ જીવની કેવી વિટંબણા છે ! અહીં પણ જો કોઈ સજ્જન એને શાબાશી આપવાનું નથી, તો મર્યા પછી તો શાબાશી મળવાની વાતે ય શી ? ખુનસની માત્ર એક ખરજ ઉતારવાનું થાય છે, પરંતુ એમાં નવા નવા ખુનસની ખરજો ઉઠે છે.
જીવ મોહમૂઢ લાગણીઓનો ગુલામ જ ને? તે પવિત્ર ભાવો કેળવવા માટે એનું કોઈ વર્ચસ્વ જ નહિ? કોઈ સ્વાતંત્ર્ય જ નહિ?
ખૂબી તો પાછી એ, કે અપકૃત્ય પાર પડશે કે કેમ એ નિશ્ચિત નથી, છતાં મૂઢતાથી વિડંબાયો જીવ એને પાર પડી જવાનું માની બેસે છે ! અને એનાથી મનમાન્યો લાભ કલ્પી લઈ એના પર હરખના ઉન્માદમાં ચડે છે ! એટલે ત્યાં પણ હૈયાની રૌદ્ર સ્થિતિ રહ્યા કરે છે ! ખરી રીતે તો ધારેલું કદાચ પાર ન પણ પડે, કિન્તુ જીવ બિચારો ભયંકર વિચારણાથી બચી શકતો નથી.
અસંમત નાસ્તિકની એવી જ દશા થઈ છે. એણે મુનિને બાળી નાખવાના ઠેઠ સુધીના પ્રયત્ન કર્યા. એના વિચારમાં તો રાચ્યો, પણ હવે મુનિ બળશે કે કેમ એ પ્રશ્ન છે, છતાં પેલો તો એના હરખમાં “હાશ ! હવે મુનિ બળી ગયો ! કાશ ગઈ !” એવા રૌદ્ર પરિણામ અનુભવી રહ્યો છે. - કોરટમાં જૂઠું લલકાર્યા પછી ઘરે જઈને માણસ હરખ અનુભવે છે ને કે હાશ ! પાસા પોબાર. જજમેન્ટ મારા લાભમાં આવશે ને સામો ઠીક જ પછાડ ખાશે !' જાણે ચુકાદો આવી ગયો તે મલિન વિચાર કર્યે રાખે છે ! કોને ખબર છે ચુકાદો કેવો ય આવ્યો ? પણ અસત્ કલ્પનાની વિટંબણા ભારે ! અપકૃત્ય પરના લાભ લોહીના લાડુ જેવા : - ત્યારે અપકૃત્ય કદાચ પાર પણ પડે, તો ય એનાથી થતા મનમાન્યા લાભમાં ય જીવને જે હરખની વિચારણા થાય છે એમાં ય એની કાળી દશા છે. અનીતિ કરી ધન કમાયા, એ ધનના લાભમાં કોઈ લેશમાત્ર પણ પસ્તાવો થાય ખરો કે
અ રે રે ! આ લાભ તો લોહીના લાડુ બરાબર છે. કસાઈનો બંગલો જોઈ શું રીઝવાનું ? બકરા-પાડાની કલ ચલાવવા પર થયેલા ધનલાભની શી કિંમત ? એમ જુઠ, અનીતિ, વિશ્વાસઘાત કે પરનિંદા પર મળેલા ધન-માલ યા માન-પૂજા-પ્રતિષ્ઠાની શી કિંમત ?'
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org