SearchBrowseAboutContactDonate
Page Preview
Page 238
Loading...
Download File
Download File
Page Text
________________ ની ધ્યાન અને જીવન ૨૫નિયમો અને પવિત્ર આચાર-અનુષ્ઠાનોની જ કોઈ પકડ પકડવાનો ધર્મ ક્યાં ઓછો ધર્મ છે ? શું એની જરૂર જ નથી ? એની ખાસ જરૂરિયાત માનવાને કશી જગા જ નહિ ? પણ પેલી તુચ્છ લતો-પકડો-જરૂરિયાતો ટોળાબંધ ઊભી હોય ત્યાં આને શાનું સ્થાન મળે ? ભૂલશો નહિ, આ તુચ્છ લતો પર આર્તધ્યાન ભરચક ચાલવાનાં, વધીને કદાચ રૌદ્રધ્યાનની પણ વિચારસરણી પેસી જવાની. અસંમત નાસ્તિકને એ લત લાગી કે “શહેરમાં હું જ હોશિયારમાં ખપે, મારી જ વાહવાહ થાય, મારી સામે કોઈ બીજાની વડાઈ ન થાય.” એ લતમાં પછી નાસ્તિકવાદ ફેલાવ્યો અને હવે મુનિની ભારે તપસ્યા તથા એના પ્રભાવની પ્રશંસાને સહી શકતો નથી, તે ચડ્યો ભયંકર દુષ્ટ રૌદ્રધ્યાનમાં ! શોધે છે, “મુનિને કેમ ખત્મ કરું !' મુનિને બાળી નાખવાનો પ્રયત્ન : નાસ્તિક ઉપાય શોધી કાઢ્યો, એ રાતના ઉપડ્યો ઉદ્યાનમાં, લાકડાં ભેગાં કરી ધ્યાનમાં ઊભેલા મુનિની આસપાસ ગોઠવી દીધાં અને મુનિને બાળી નાખવાના વિચારથી ચારે બાજુએ લાકડાં સળગાવી ઘર ભેગો થઈ ગયો. ઘેર જઈ નિરાંત અનુભવે છે કે “હાશ ! મુનિ સળગી જશે, ને પછી એમને લોકો યાદ પણ નહિ કરે. એટલે મારો એક કાંટો ગયો.” માનવ જેવો માનવ થઈને એની વાઘવરુ જેવી કેવી ભયંકર વિચારસરણી ! અજ્ઞાનતાભર્યા વિચાર જીવને કેટકેટલી અધમતામાં ઉતારી એની કારમી વિટંબણા કરે છે ! પહેલાં તો અપકૃત્યનું દુર્બાન !... પછી એના ઉપાયનું ચિંતન !... ઉપાય જડતાં આનંદ-ઉત્સાહ !... પછી ઉપાયનો પ્રયત્ન !... એ પછી ધાર્યું થઈ જવાની કલ્પના !.. અને એના પર અપાર હરખભર્યા વિચાર !... એવું એવું ભયંકર ચાલે છે. એટલે ઠેઠ પહેલેથી મલિન વિચારણા-ચિંતવના શરૂ થઈ ને અપકૃત્ય થઈ ગયું માન્યું, પછી પણ એના કલ્પેલ લાભના હરખમાં ય કાળું મેશ હૃદય ! ઈષ્ય-અસહિષ્ણુતામાં કેવાં દારુણ પરિણામ?: (૧) આમાં નરકના ભાતાં જ બાંધ્યે રાખવાનો ધંધો થાય કે બીજું કાંઈ? (૨) વળી બીજી પવિત્ર વિચારણાને જરા પણ જગા જ ન રહે, આ ય કેટલી મોટી ખોટ ? (૩) માનવના ખોળીયે કેવી જંગલી પશુ હૃદયની કાર્યવાહી ચાલે ? તે ય દિલમાં કશા ખેદ વિના ! ને હોંશે હોંશે ! (૪) ધિઢાઈ કેવી વધે કે પછી બીજાં અપકૃત્યોની વિચારણા અને પ્રયત્ન Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004948
Book TitleDhyan ane Jivan
Original Sutra AuthorN/A
AuthorBhuvanbhanusuri, Padmasenvijay
PublisherOmkar Gyanmandir Surat
Publication Year1998
Total Pages478
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size23 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy