________________
-જીની ધ્યાન અને જીવન | મહાનતા આ સંપત્તિઓથી આવે, પણ પેલી ખોટી લતો અને ખોટી જરૂરિયાતોની અધમતા ટળે ત્યારે ને ?
ખોટી લતો તથા પકડો અને જરૂરિયાતોથી જીવન અધમ જ બન્યું રહે છે, પછી ભલેને દેવ અરિહંત ઉંચામાં ઉંચા મળ્યા, ગુરુ પણ ઉંચા ત્યાગી અને તત્ત્વજ્ઞ મળ્યા, તથા ધર્મ અનુપમ અદ્વિતિય મળ્યો. જીવનમાંની અધમતાઓ એમજ ઊભી હોય ત્યાં એ સારામાં સારાં તરવાનાં આલંબનો મળ્યાનો શો લાભ લેવાય?
ઉચ્ચ તારક આલંબનોની કિંમત સમજો :
ધ્યાનમાં રાખો - વિશ્વશ્રેષ્ઠ અરિહંત પરમાત્મા, ત્યાગી ગુરુઓ, જિનશાસન, જિનાગમ, તીર્થો, ધાર્મિક આચાર-અનુષ્ઠાનો વગેરે આલંબનો એવા અદ્દભુત મળ્યા છે કે જેના આધારે આત્મા પોતાના દેદાર ફેરવી નાખે ! તુચ્છ લતો-પકડો-જરૂરિયાતોને નહિવત્ કરી શકે ! આ આલંબનો આ વિરાટ વિશ્વમાં મળવા અતિશય કઠીન ! અતિ દુર્લભ ! એ છે, તો જ એના આધારે ઉન્નતિ સાધી શકાશે. જીવન પુરું થતાં એ ખોઈ નાખ્યા પછી શું થઈ શકશે? માટે તારક આલંબનો મળ્યાનું મહત્ત્વ ખૂબ જ નજર સામે રાખી એનો ઉપયોગ કરી લેવો જોઈએ. શેમાં? આ તુચ્છ લતો-પકડો-જરૂરિયાતોને નામશેષ કરવામાં.
જીવન કેમ હારી જવાય છે?
જીવને એ વિચાર નથી આવતો કે “હું આ તુચ્છ લતો-પકડો રાખી બેસું છું, તુચ્છ જરૂરિયાતો માની બેસું છું, તો (૧) શું મારે આવો સુંદર દુર્લભ માનવભવ મળ્યા પછી આત્મહિતની કોઈ જ લતો કેળવવાની નથી ? (૨) આત્મહિતની કોઈ પકડો જ રાખવાની ઊભી કરવાની નથી ? (૩) મારે શું કોઈ આત્મહિતની જરૂરિયાતો જ નથી ? અને જીવનમાં એ મુખ્ય બનાવવાની જ નહિ ? “ખૂણામાં કચરો પડી રહ્યો, ચિંથરું ફાટ્યું, કપડું મેલું થયું, આ ન ચાલે, ઠંડી બહુ પડી” - આવા આવા મુડદાલ નમાલા વિકલ્પોથી શું આત્માના દેદાર સુધરે છે? “કચરો ન જ જોઈએ... કપડું જલ્દી ફાટવું ન જ જોઈએ,... ફાટ્યું તો તરત સંધાવું જ જોઈએ,... કપડું સાફ જ જોઈએ...” આવી આવી લત-પકડ-જરૂરિયાતો માની લીધાથી આત્માનું શું સુધરે, કે બગડે? શું જીવન જરૂરિયાતોમાં આ જ આવે ? શું આવું ને આવું જીવન ચાલે એટલે જીવન જીતી ગયા ? કે સરાસર હારી ગયા ? કહો છો ને હવે વધારે ધર્મ શો કરીએ? આ તુચ્છ લતો પડતી મૂકવાનો અભ્યાસ કરતા રહેવાય એ ધર્મ ક્યાં ઓછો ધર્મ છે?
આત્મહિતોની લતો-જરૂરિયાતોઃ કોઈ દાન-શીલ-તપ-ભાવનાની, દેવગુરુ ભક્તિની, ક્ષમાદિ ગુણોની, કે વ્રત
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org