SearchBrowseAboutContactDonate
Page Preview
Page 236
Loading...
Download File
Download File
Page Text
________________ ન ધ્યાન અને જીવન ૨૩કચરો પડી રહ્યો છે?...” અથવા કપડું ખેંચમાં ભરાઈ જરા ફાટ્યું, હવે એ સંધાશે તો એની સગવડે સંધાશે, પરંતુ અત્યારથી એ ફાટેલું નજરમાં આવે ત્યારે ત્યારે એની ખોટી ચિંતા થઈ જ આવે છે કે “આ કેમ ફાટ્યું ? ક્યારે સંધાય ?... આ મફતિયા ખૂંચ ખીલી કેમ રાખી હશે કે કપડાં ફાડે ? હવે આ સંધાય નહિ ત્યાં સુધી કેટલું ખરાબ લાગે ? ને સંધાય નહિ ને વધારે ફાટે તો ?...” તુચ્છ વસ્તુની પકડ પર પણ કેટલું આર્તધ્યાન ? કેટલી પાપ વિકલ્પોની હારમાળા ? ઉત્તમ માનવભવની આ કેવી હાંસી ? કેવી વિટંબણા ? ક્રોડપતિની કન્યા મળી હોય, સાથે મોટી સંપત્તિ મળી હોય, એને મસોતા જેવા કપડા પહેરાવે એ એની કેવી હાંસી ? એમ પુણ્યાઈ સાથે મળેલ માનવ જિંદગીને તુચ્છ વસ્તુની લત-ચિંતા લગાડીએ એ એની કેવી હાંસી ? શું માનવજનમ આવાં આર્તધ્યાન કરવા માટે જ છે ? શું આર્તધ્યાનથી જીવન આબાદ બને છે? કે બરબાદ ? આવા ને આવા આર્તધ્યાન ચાલ્યા કરતા હોય ત્યાં શુભ ધ્યાનને અવકાશ રહે ? ચિત્ત દેવદર્શન-વંદન કે જાપ વગેરેમાં જોડાય ત્યારે એમાં સ્થિર રહે ખરું ? ફરિયાદ છે ને કે શુભ ક્રિયામાં ચિત્ત સ્થિર નથી રહેતું ? પણ આર્તધ્યાનની લોથ લાગી હોય ત્યાં સ્થિર શુભ ધ્યાન શાનું લાગે ? અને જીવને તુચ્છ લતો લાગેલી હોય ત્યાં કહો આર્તધ્યાન આવ્યા વિના શાનું રહે ? ભલેને પછી એ પ્રભુના મંદિરમાં હોય ! ત્યાં મંદિરમાં એ મનમાંથી બહારની લત તો બહાર મૂકીને આવ્યો નથી, એટલું જ નહિ, પણ અહીં મંદિરમાં ય “આ પાટલો આમ કેમ વચ્ચે પડ્યો છે ? આ પેલા ભાઈ કેમ દર્શનની આડે ઊભા છે ? ક્યાં સુધી ચોંટ્યા રહેશે ?... ઓલ્યા ભાઈ વળી કેમ સ્તવન મોટેથી ગાય છે ?... આ આમ ન ચાલે',... આવી આવી મનને લત લાગી છે એટલે આનાં આર્તધ્યાન ચાલ્યા જ કરે છે. આવી લત, આવી પકડ, માની લીધેલી એવી જરૂરિયાતો, ભૂંડી. ચિત્ત એની પાછળ પાગલ થવાનું, આંધળું બનવાનું. પછી સારી પ્રવૃત્તિ હાથમાં લેવા છતાં એને એ સારીનું ઉંચું મૂલ્યાંકન નહિ, ઉંચી કદર નહિ, તે વચમાં વચમાં ખોટાં ચિતન ગબડાવ્યા જ કરશે. ખોટી લતો પાછળ કેવી મહાન આત્મસંપત્તિ કમાઈ ગુમાવવાની?? જીવન ખોટી લતોથી અને માનેલી ખોટી જરૂરિયાતોથી એવું કલુષિત બને છે કે પછી એની પાછળ ધારાબદ્ધ પવિત્ર વિચારસરણી, ઉપશાંત ભાવ, ઉદાર આશયો, મૈત્રી-કરુણાની વહેતી ભાવનાઓ, અરિહંતનું શુભ ચિંતન વગેરે મહાન આત્મસંપત્તિઓ કમાવાનું હાથવેંતમાં છતાં દુર્લભ દુ:શક્ય બની જાય છે. જીવનમાં Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004948
Book TitleDhyan ane Jivan
Original Sutra AuthorN/A
AuthorBhuvanbhanusuri, Padmasenvijay
PublisherOmkar Gyanmandir Surat
Publication Year1998
Total Pages478
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size23 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy