SearchBrowseAboutContactDonate
Page Preview
Page 235
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૨૨ ધ્યાન અને જીવન ‘એમને કેમ ખત્મ કરું' એ વિચારમાં ચડ્યો છે. જીવના ઉપર લાગેલો સંસારવાસ કેટલો બધો ભયંકર છે ! એને એક યા બીજા પ્રકારની એવી કોઈક પકડ પકડાઈ જાય છે કે પછી એ દુર્ધ્યાનને તાણી લાવે છે, કેમકે ખોટી પકડની પાછળ મન ખોટા વિચારમાં કામ કરતું બની જાય છે, પછી એમાં દુર્ધ્યાન કેમ ન આવે ? ખરાબ કામ તો થાય ત્યારે થાય, પરંતુ ખરાબ વિચારસરણી કલાકોના કલાકો કે દિવસોના દિવસો ચાલ્યા કરે છે ! દુર્ધ્યાનની આ ખરાબી કે ખરાબ કરણી નહિ છતાં મારે ! બિલાડી દિવસભરમાં કેટલા ઉંદર મારવાનું કરપીણ કૃત્ય કરે છે ? બહુ અલ્પ. પરંતુ એ એની વિચારધારા અને રૌદ્રધ્યાન કેવી રાત-દિવસભર ચલાવે ? એમ ગિરોલી વાઘ વરુ વગેરે શિકારી પ્રાણીઓની દશા કઈ ? શાના પર આ ? એક પકડ પકડાઈ જવા પર કે ‘શિકારને ખત્મ કરવો.' જીવ આઘો જાય, પાછો જાય, પણ મન એમાં ને એમાં રમતું રહે છે. આ રૌદ્રધ્યાનની વિચારધારા છે. એ ભયંકર છે. એમ આર્તધ્યાનની વિચારધારા પણ કોઈ પકડના લીધે ચાલે છે, ને એમાં મનની મહાખરાબી છે. ખોટી પકડ પર આર્તધ્યાનનું દૃષ્ટાન્ત ઃ દા.ત. મનને લાગી ગયું કે ‘પૈસા જોઈએ', બસ એ પકડ લાગવા પર મન એના આર્તધ્યાનમાં રમ્યા કરે છે ને ચિંતવે છે કે પૈસા કેમ મળે ? ક્યારે મળે ? શું કરું ?' આજીવિકા પૂરતા પૈસા વિના સંસારીને નથી ચાલતું એ સાચું, પરંતુ એ જરૂરિયાત બહુ શું માગે ? એનો ઉપાય ઉદ્યમ માગે એટલું જ ને ? પરંતુ મનમાં એનો વલવલાટ પણ જરૂરી છે ? શું વારંવાર એની ચિંતા ય કરવી જ જોઈએ કે ક્યારે મળે ? કેમ મળે ? કેમ વધારે મળે ?' ને શું એ ચિંતાથી કાંઈ વળે છે ? ધંધો-નોકરી-મજુરી તો ચાલુ જ છે. જીવનનો અનુભવ છે કે નોકરી-ધંધાથી અમુક પૈસા તો મળ્યા જ કરે છે. ચિંતાથી વિશેષ શું સધે છે ? ભાગ્ય બાંધેલું હોય તો એટલું જ મળવાનું. ભાગ્ય નબળું હશે તો ઓછું જ મળવાનું. ચિંતા એમાં કશો વધારો કરી શકે નહિ. છતાં જીવને ભાગ્યના ઘરની વસ્તુ પૈસા, તે પૈસાની લત લાગી ગઈ, તે ભાગ્યથી ઉપરવટ થઈને મનથી હિસાબ વિનાની ચિંતા અને આર્તધ્યાન કર્યા જ કરે છે ! કેવો મૂઢ ! તુચ્છ વસ્તુની લતથી માનવભવની હાંસી : અરે ! પૈસા તો હજી ય મોટી વસ્તુ છે, પણ જીવને બીજી કેટલીય તુચ્છ વસ્તુની પણ લત લાગે છે ! દા.ત. ઘરના ખૂણામાં કચરો દેખ્યો, એ હમણાં ને હમણાં ઉઠીને દૂર કરાય એમ નથી, કે બીજા પાસે તરત કઢાવી નખાય એવું નથી, છતાં મન એના ય લોચા વાળ્યા કરે છે કે ‘આ કેટલો ખરાબ લાગે છે ! કેમ આ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004948
Book TitleDhyan ane Jivan
Original Sutra AuthorN/A
AuthorBhuvanbhanusuri, Padmasenvijay
PublisherOmkar Gyanmandir Surat
Publication Year1998
Total Pages478
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size23 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy