________________
ન ધ્યાન અને જીવન - એટલા જ માટે બહારનાની સામે તો સહિષ્ણુતા જ કેળવવાની, ક્ષમા જ રાખવાની, જેથી આંતરશત્રુ ક્રોધને મચક ન મળે. પરંતુ આ સહિષ્ણુતાદિ કરવાનું કોણ શિખવાડે ? ધર્મ જ એ શીખવે છે. ધર્મનું આ ઉંચું મહત્ત્વ છે કે એ ક્ષમા-સહિષ્ણુતા સમતા શીખવીને મહાશાંતિ-મહાસુખનો અનુભવ કરાવે છે.
*
*
*
Illlllllllllllllllllllllllllllll
૩૦. ઈષ્ય : આત્મહિતની જરૂરિયાતો છે?
અસંમત નાસ્તિકને ધર્મ માનવો જ નથી, પછી એને આંતરશત્રુ સામે લડી લેવાનું અને બહારનાની સામે સહિષ્ણુતા કેળવવાનું શિક્ષણ કે સમજ ક્યાંથી હોય ? તેથી એ લલિતાંગ મુનિની પ્રશંસા કેમ સહી શકે? આંતરશત્રુ ઈષ્યાર્ને એ કેમ રોકી શકે ? એને મુનિ પર ભારે ઈર્ષ્યા આવી ગઈ, વૈષ વધી ગયો અને હવે “કેમ એમનો નાશ કરું એના વિચારમાં ચડ્યો. આ સૂચવે છે કે,
ધર્મમાં માનનારે સહિષ્ણુતા-ધર્મ કેળવવો જ જોઈએ, ઈર્ષ્યા નહિ જ કરવાની.
ઈર્ષ્યા કેવી ગોઝારી છે? “મુનિએ નાસ્તિકનું કાંઈ જ બગાડ્યું છે ? પ્રશંસા અને નિંદા કરે છે તો લોકો કરે છે. એમાં મુનિનો શો વાંક ? પરંતુ ઈર્ષ્યા દુર્ગુણ જ એવો આંધળો છે કે ગુનો કોઈ જોવાનો જ નહિ. ઈષ્યાવળાને તો એક જ ધૂન કે “હું કોના કરતાં હલકો દેખાઉં છું ? યા કોણ મારા જેવો વખણાય છે ? બસ, એને જ હું હલકો પાડું, યા એને જ ઉડાવું.' બીજાનું સારું ખમી શકવાની તાકાત જ નહિ, માટે એને ઉડાડવાની જ ધૂન.
ત્યારે કહો, એક ઈર્ષ્યા પછી કેટલાં આર્તધ્યાન અને વધીને રૌદ્રધ્યાન કરાવે? જ્યાં સુધી સામો હલકો ન પડે, કે ખત્મ ન થાય, ત્યાં સુધી આર્તધ્યાન અને વધીને રૌદ્રધ્યાન કેવાં ચાલ્યા કરે ? સારું ધ્યાન ક્યારે લાગે? :
માટે જ આ સાવધાની રાખવા જેવી છે કે ધ્યાન “ૐ” કે “અહં વગેરેનું લઈને બેસવાની વાત પછી, પણ પહેલાં આર્તધ્યાનને લાવનારી આ ઈર્ષ્યા વગેરે આંતર મલિનતાને હટાવો અને આર્તધ્યાન અટકાવો. ચિત્તમાં આર્તધ્યાન રમતાં હશે તો શુભ ધ્યાનને અવકાશ જ નહિ મળે અને ઈર્ષ્યાદિ નહિ મૂકવા હોય તો આર્તધ્યાન કોટે વળગ્યા રહેવાનાં. ખોટી પકડ દુર્ગાનને તાણી લાવે છે :
અસંમત નાસ્તિક મુનિ પ્રત્યે ઈર્ષાનો માર્યો આર્ત અને રૌદ્રધ્યાનમાં રમે છે,
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org