________________
–૨૨ની ધ્યાન અને જીવન - ને પગલે આરાધી શકો. અંતરના મદ-રાગ-લાલસાને નિરભિમાન, વૈરાગ્ય, અનાસક્તિ, તૃપ્તિ વગેરે દ્વારા દબાવતા રહેવું, એ મહાન ધર્મ છે. એને આરાધતા રહેવાનું. એમાં ય ખાસ કરીને જ્યારે જ્યારે “સામેથી અગવડ આવી, અપમાન થયું, બહારમાં નુકસાન થયું એમ લાગે, ત્યારે ત્યારે તરત આ પ્રયોગ
ચલાવવાનો.
જોવાનું કે “જાતને સુયોગ્ય માને છે, જાતને સારું જ કરનારી માને છે, માટે જ સામા અપમાન કરનારા લાગે છે. સુખની લાલસા નડે છે, વિષયોનો રાગ સતાવે છે, તેથી જ એમાં વાંધો વચકો લાવનારાને દુશ્મન દેખે છે. એટલે ખરી રીતે આ જાતની વડાઈ, લાલસા અને રાગ જ ખતરનાક છે. એને જ મારે દાબતા ચાલવાનું.'
આંતરશત્રુ દબાવવા માટે ત્રણ ઉપાય - (૧) જાતની કર્મપીડિત અધમતાનું ભાન અને નિરભિમાન (૨) સુખની બેપરવાઈ, ને (૩) વિષયોની નિર્માલ્યતાનો ખ્યાલ કરતા રહેવાનું.
બસ, જાત પર અને જાતના દોષો પર આ પ્રબળ અંકુશ મૂકવાનું ચાલુ થઈ જાય, એટલે પછી જાતના દોષોને લીધા સામા શત્રુ દેખાતા હશે તેને હવે દુશમન દેખવાનું કે અન્યાયકારી લાગવાનું ઓછું થતું આવશે. ભગવાનના અઠ્ઠાણું દીકરાને આ સમજાઈ ગયું અને રાજ્યાદિના રાગ જ મૂકી દીધા, દિલની મમતા જ છોડી. એટલે મોટો ભાઈ ભરત હવે દુશ્મન કે અન્યાયકારી નથી લાગતો. હવે તો અન્યાયકારી આંતર દુશ્મન મદ-લાલસા-રાગ વગેરેને તોડવા માટે જે મનુષ્યજન્મ મહા સહાયભુત મળ્યો છે, અને એમાં કામે લગાડી દેવાનું નક્કી કરી નાખ્યું, પ્રભુ પાસે ત્યાં ને ત્યાં જ એ દીક્ષિત થઈ ગયા.
એ સાંભળીને ભરત શરમાઈ ગયો અને આવીને ક્ષમા માગતો કહે છે, “માફ કરો, મારી ભૂલ થઈ. પધારો ઘરે, સુખેથી રાજ્ય ભોગવો, મારે તમારા પર કાંઈ આજ્ઞા-હકુમત ચલાવવી નથી. પરંતુ આ અઠ્ઠાણું મુનિ બનેલાને તો હવે ખરા શત્રુભુત રાગાદિનો અને એમના અનંત કાળના અન્યાયનો જ કાયમી અંત લાવવો છે, તેથી ભારતના કરગરવા પર શાના લોભાય ?
બોલો હવે, અન્યાયનો સામનો કરવા જેવો ખરો ? અને કરવો જ હોય તો કોના અન્યાયનો સામનો કરવા યોગ્ય? કહેવું જ પડશે,
બહારના અન્યાય કરતાં અંતરના કામ કે ક્રોધ-લોભ. રાગ-દ્વેષ. માન-મદ-માયાના ઘોર અન્યાયનો સામનો કરવા યોગ્ય છે અને એ માટે એ આંતરશત્રુ ઓ સામે જ લડી લેવા જેવું છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org