________________
ધ્યાન અને જીવન ૨૧૯) અન્યાય થયાની વિચારણા તો બાહ્ય પર અધિકાર અભિમાન તથા વિષયરાગ અને સુખલાલસા ઉપર થાય છે. (૧) “હું આટઆટલી સગવડનો-સન્માનનો અધિકારી છું. આ સામેથી આમ કેમ વાંક વર્તે છે ?' જે આ અધિકાર જ ન માને, સ્વાભિમાન જ ન રાખે, તો “સામાએ અન્યાય કર્યો',... “સામો મારો વિરોધી',... એવું એવું માનવાનું રહે નહિ. ભારે અન્યાય તો પોતાના અનંતા દોષો અને કર્મોનો છે. એટલે પોતાને એમ જ લાગે કે “હું અનંતા કર્મોથી દબાયેલો-કચરાયેલો છું. મારે વળી સ્વાભિમાન શા ? અનંતા દોષોથી ભરેલો હું. મારે વળી ગુમાન શાનું ?” એમ બાહ્ય પર પોતાનો અધિકાર ન માને તો બાહ્ય પર આક્રમક અન્યાયકારી ન લાગે.
(૨) એમ સુખની લાલસા બહુ છે, વિષયોનો રાગ નડે છે, તેથી સગા માતા-પિતા કે સગી પત્ની પણ એ સુખ ને એ વિષયો પ્રત્યે વાંકુ વર્તતાં, અન્યાય કરનારા લાગે છે. ખરી રીતે તો પોતાની સુખેષણા અને રાગાંધતા એ અન્યાય મનાવે છે. કપડું ઉજળું જ જોઈએ એવો આગ્રહ છે માટે એ મેલું રાખનારી કે મેલું કરનારી પત્ની કે નોકર પર ગુસ્સો થાય છે, એ અન્યાયકારી લાગે છે. એવો રાગ અને એવી એષણાને જ જો દબાવાય, ને “જેવું હોય તેવું ચાલે” એવો સિદ્ધાન્ત પકડી રખાય, તો પછી સામા પર ગુસ્સો શું કામ આવે ? એના તરફથી અન્યાય થયાનું શાને દેખાય ? જીવનમાં દુઃખ-ઉદ્વેગ શાથી??
જીવનમાં જે વારે ને વારે અન્યાય થતો દેખાય છે, દુઃખ થાય છે, ઉદ્વેગ થાય છે, એના મૂળમાં તપાસજો તો આ દેખાશે કે કોઈ સ્વાભિમાન, હક-અધિકારની માન્યતા, કોઈ વિષયરોગ, કે કોઈ સુખલાલસા કામ કરી રહી. હોય છે. તેથી જ પછી એમાં વાંધો આવતાં, સામો અન્યાયકારી લાગે છે. આ માન, આ હક, કે આ રાગ, આ લાલસા ન હોય તો શું કામ દુઃખ જ થાય ? જો દુઃખ જ ન લાગે તો પછી સામા અન્યાય કરનારા નહિ લાગે. એ નહિ લાગે તો મનને સમતાભાવ રહેશે. મહાન આત્માઓ સીતાજી જેવા વિકટ પ્રસંગમાં પણ સમતા આમ રાખી શકેલા. સંસારમાં વધુ ધર્મ શો થઈ શકે? :
દેવદર્શન-પૂજા સામાયિકાદિ કરીને કહો છો ને કે “હવે સંસારમાં બેઠા આથી વધારે ધર્મ શો થઈ શકે ?' તો સમજો કે
આંતરશત્રુને જ અન્યાયકારી માનવાનો અને એને દબાવ્યા કરવાનો વિસ્તૃત ધર્મ સંસારમાં બેઠા ય બહુ થઈ શકે.
સંસારત્યાગ નથી કર્યો, ને ઘરવાસમાં બેઠા છો, છતાં આ મહાન ધર્મ ડગલે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org