________________
ધ્યાન અને જીવન -૨ લાગે છે. એટલે એમ કહેવાય કે આંતર દુશ્મનોનો નિકાલ કર્યો ત્યાં બાહ્ય દુશ્મનોનો નિકાલ સહેજે થઈ ગયો.
ઋષભદેવ ભગવાન નવાણુંને કહે છે, “આ અંદરનાને દબાવવા માટે માનવભવ જ ભારે ઉપયોગી છે, સહાયક છે.”
“તો હે નરરત્નો ! જ્યાં સુધી તમારા હાથમાં હજી માનવભવ સહાયક તરીકે ઊભો છે, ત્યાં સુધીમાં તમારા ખરેખરા દુશ્મનભૂત આંતર દુશ્મનોની સામે લડી લઈ એનો નિશ્ચિત નાશ કરવાનું તમારે સ્વાધીન છે. એને મૂકીને બહારના માનેલા દુશ્મનની સાથે લડી એનો નાશ કરવાની વાત કે જે શંકાસ્પદ છે, એની ગડમથલમાં ક્યાં પડ્યા છો ? કાયમનો અન્યાય ટાળવાનું છોડી કામચલાઉ અન્યાયનો સામનો કરવા શું ધમધમી રહ્યા છો ? એમાં ખરું કાર્ય રહી જાય છે.” અઠ્ઠાણું પુત્રોનો જિનવાણી પર વિચાર અને વૈરાગ્યઃ
ભગવાનના આ ઉપદેશે અઠ્ઠાણું પુત્રો પર રામબાણ અસર કરી.
એ સમજી ગયા કે “ભરતનો અન્યાય તો કામચલાઉ છે અને તે ટાળી શકાવાનું પણ નિશ્ચિત નથી. ત્યારે
“આંતર દુશ્મનોનો અન્યાય અનંતા કાળથી ચાલ્યો આવે છે. આપણે તો એમને પોષીએ-મહલાવીએ છીએ ! જ્યારે એ આપણું કારમું નિકંદન કાઢે છે ! સંસારચક્રમાં ભટકાવે છે ! એ રાગાદિ દુશમનોના લીધે જ ભરત આપણને દુશ્મન જેવો લાગે છે. જે આપણને આપણા એક જમીનના ટુકડા પર રાગ અને મદ ન હોત, એના પર મળતા કંચન-કામિની વગેરેના ક્ષણિક ભોગો ઉપર કારમી તૃષ્ણા ન હોત, તો શું કામ આપણને ભરત અન્યાયકારી દુશ્મન લાગત ? જુઓ પ્રભુએ એ બધું છોડ્યું તો હવે પ્રભુને ક્યાં કોઈ દુશમન છે જ ? માટે આપણે આ છોડો અને અંતરના રાગાદિ દુશ્મનોને કચરી નાખવામાં આ સહાયક માનવ જનમને કામે લગાડી દો.”
બસ, ભગવાનના અકાણું દીકરા મોટા રાજવી બનીને રાજ્ય-સમૃદ્ધ રાણીઓ અને રાજાશાહી સુખોમાં મહાલનારા છતાં, આમ પ્રભુની તત્ત્વવાણી એમણે ઝીલી, એ વૈરાગ્ય પામ્યા અને માનવભવને ઉત્તમ સહાયરૂપ માની એના સહારે આંતર દુશમનોનો જ નાશ કરવા માટે નિર્ધારવાળા બની ગયા, કેમકે હવે એ આંતર દુશ્મનોનો જ અન્યાય એમને ડંખવા લાગ્યો. ભરતનો કોઈ અન્યાય જ ન લાગ્યો. પોતાના રાજ્ય અને વિષયસુખો પર રાગ રહે તો જ એના પર આક્રમણ કરનારો ભરત અન્યાયકારી લાગે ને ? હવે તો રાગ જ ઉઠાડી નાખ્યો એટલે “મારું રાજ્ય, મારાં સુખો', એ ભાવના જ ઉઠી ગઈ. “જે મારું નહિ, એને બગાડનારો મારું શું
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org