________________
ધ્યાન અને જીવન પછી તો તમારે એકલાએ અહીં સારી રીતે મહલાવેલા આંતર શત્રુઓ રાગદ્વેષ વગેરેથી અને હિંસાદિ પાપોથી ઊભા કરેલાં જંગી પાપકર્મોના થોકથી દુર્ગતિઓમાં ભટકતા થઈ જવું પડે, દુઃખ-ત્રાસ-વિટંબણાઓમાં કચરાવું પડે. આ અન્યાયથી શે બચો?
તો બોલો, અહીં તમે માનેલા બહારના દુશ્મનને ટાળ્યો અને માનેલો અન્યાય મિટાવ્યો, તેથી શું વળ્યું ? મૃત્યુની સામે તમારો મદ ક્યાં ઊભો રહેવાનો ? પુયે બહારના અન્યાયને બરાબર રદિયો આપવાનું બને, પણ એમાં તમારું અભિમાન, દુર્ગતિ ગમનની બેપરવાઈ, લક્ષ્મી આદિની તૃષ્ણા – મમતા, આ બધા આંતરશત્રુઓ જ તમને આ ભવાટવીમાં અશરણ-નીરાધારપણે ભમાવનારા છે. તમારાથી પોષાયેલા એ રાગાદિ તમને જ દીઘતિદીર્ઘ કાળ સુધી અન્યાય કરનારા છે.
હે ભાગ્યવાનો ! ખરું તો એ સમજો કે આ મનુષ્યભવ એવો ઉંચો અને અદૂભુત પામ્યા છો કે એના સહારે તમે આ તમારા આંતર દુશ્મનોની સાથે લડી શકો, તત્ત્વબુદ્ધિ-ત્યાગ-વૈરાગ્ય-ક્ષમા-અહિંસાદિ દ્વારા એનો નિર્મૂળ નાશ કરી શકો અને એથી કાયમને માટે તમારી પ્રત્યેના એના અનંતાનંત કાળથી ચાલી આવતા અન્યાયનો અંત લાવી શકો. એ તત્ત્વબુદ્ધિથી અહીં પણ કોઈ દુશ્મન નહિ લાગે.
ઉચ્ચ માનવભવના સહારે જ આ આંતર વિજય બની શકે.
આવો ભવ ગુમાવી નાખ્યા પછી આમાંનું કશું નહિ થઈ શકે. એટલું સમજી રાખો કે,
બહારના કોઈ શત્રુને અને એના અન્યાયને ટાળી શકવાનું નિશ્ચિત પણ નથી અને કાયમી પણ નથી.
પુણ્ય પહોંચતું હોય તો જ બહારના દુશ્મનની સામે ફાવી શકો, નહિતર તો પછાડ જ ખાવી પડે. વળી કદાચ માનો કે અહીં તમે ફાવ્યા, તો પણ પછીના જનમમાં સંભવ છે પાછા બહારના બીજા દુશ્મન આવવાના, ને એના અન્યાય સહવા પડવાના. એટલે અહીં એ ટાળવાની વસ્તુ કાયમી નહિ બનવાની. જ્યારે,
આંતર દુશ્મન પર જય અને અન્યાય-નિવારણ એ નિશ્ચિત અને કાયમી બને છે. એમાં બાહ્ય દુશમન પણ રહેતા નથી, એમનો ભય ગયો.
અહીં તમે રાગ-દ્વેષ કામ-ક્રોધ-મદ વગેરે પર તત્ત્વદેષ્ટિ-વૈરાગ્ય-ઉપશમ વગેરેથી જેટલા પ્રમાણમાં ઘા કરો, જેટલા એને દબાવો, એટલા એ દબવાનું નિશ્ચિત છે અને એના દળ્યા પછી અહીં ને ભવાંતરે ય એનું જોર ચાલતું નથી. ક્રમશઃ કાયમી અંત આવે છે. તેમજ એ પણ હકીકત છે કે અંતરના રાગાદિને દબાવ્યા પછી બહારના દુશમન દુમન જ લાગતા નથી. એ તો બિચારા દયાપાત્ર
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org