SearchBrowseAboutContactDonate
Page Preview
Page 228
Loading...
Download File
Download File
Page Text
________________ ધ્યાન અને જીવન - ઋષભદેવ પ્રભુના અઠ્ઠાણુ પુત્રોની સામે મોટાભાઈ ભરતે પોતાની આજ્ઞા સ્વીકારી લેવાની અન્યાયભરી માગણી કરી, અઠ્ઠાણુ પુત્રો પિતા પ્રભુ પાસે ગયા, પ્રભુએ શું શિખવાડ્યું? અન્યાયનો સામનો કરવાનું નહિ. પ્ર. - અન્યાયનો સામનો તો કરવો જ જોઈએ ને? ઉ. - પ્રભુએ અઠ્ઠાણુને શું બતાવ્યું એ જુઓ એટલે સમજાશે કે અન્યાયનો સામનો કરવો જોઈએ કે નહિ. પ્રભુનો ભવ્ય ઉપદેશ: આંતરશત્રુ નો અન્યાય : ઋષભદેવ ભગવાને અઠ્ઠાણું પુત્રોને કહ્યું, “આ તમે ભરતને અન્યાયકારી શત્રુ તરીકે માની એની સાથે લડવા તૈયાર થયા છો, પરંતુ તમે તમારા ખરેખરા દુશ્મનને ઓળખતા નથી એટલે એને પડતા મૂકી ભારતનો નાશ કરવાનો વિચાર કરો છો અને એથી તમારા ખરા દુશ્મનોને મહાલવાનું થાય છે ! તમારા ખરા શત્રુ તમારા અંતરમાં રહેલા રાગ-દ્વેષ કામ-ક્રોધ લોભ, મદ-મત્સર, મમતા-માયા વગેરે છે. જનમ જનમ એને તમે પોષતા-મહાલાવતા અને દઢ કરતા આવ્યા છો. એથી જ એ આંતરશત્રુ તમને આ દુઃખદ ભવચક્રને વિષે નિરાધારપણે ભટકતા રાખવાનો ભારે અન્યાય કરી રહ્યા છે. એણે જ તમારી પોતાની અનંત જ્ઞાન-સુખમય-આત્મસમૃદ્ધિ પ્રગટ ન થવા દેવાનો તમને ભારે અન્યાય કર્યો છે. આ અન્યાય તમને ખૂંચે છે ? અરે ! એના પર દૃષ્ટિ પણ છે? એને પોષીને કેવી દુર્દશા ઊભી રાખી રહ્યા છો? “જીવ જો આ રાગાદિ આંતર શત્રુઓને ન પોષે, ન ઊભા રાખે, તો પછી એને સંસારની ચારે ગતિઓ અને ચોરાશી લાખ યોનિઓમાં નિરાધાર અને બેહાલપણે ભટકાવનારું બીજું શું કારણ છે?' બહારનાને મારવાનું શંકાભર્યું : - “હે ભાગ્યવાનો ! એટલું સમજો કે કદાચ બહારના દુશ્મનને મારી - અલબતું મારવાનું તમારા હાથમાં નક્કી નથી, એનું પુણ્ય જોર કરતું હોય ને તમારે પાપનો ઉદય હોય તો એને મારવા જતાં તમારે જ મરવાનું થાય, પણ કદાચ તમારું પુણ્ય જોર કરતું હોય તો તમે એને મારી શકો, છતાં એને મારી-તમારી સામેના એના અન્યાયને મિટાવી શકો. પરંતુ તેથી શું ? તમે થોડા જ અમર છો ? સમજી રાખો તમારા પર યમશત્રુની મોટી સત્તા છે, એટલે તમારે પણ આગળ જઈને મરવું તો પડશે જ. એ વખતે તમે પેલા બહારનાનો અન્યાય મિટાવીને સુરક્ષિત રાખેલા તમારા રાજ્યપાટ અને લક્ષ્મી-લાડી-વાડી-ગાડીના વિષયો તમને જરા ય બચાવી શકશે નહિ, કે એ વિષયો તમારી પૂંઠે લાગશે નહિ. તો અન્યાયના સામનાથી સરવાળે ક્યાં બચ્યા ? આગળ કર્મના અન્યાય લાગશે તેનું શું? Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004948
Book TitleDhyan ane Jivan
Original Sutra AuthorN/A
AuthorBhuvanbhanusuri, Padmasenvijay
PublisherOmkar Gyanmandir Surat
Publication Year1998
Total Pages478
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size23 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy