________________
(૨૧૪નું ધ્યાન અને જીવન ! કુતર્ક સામે રસ્તો:
વૈરાગી બનેલાએ તો સમજી જ રાખવાનું કે દીક્ષા લેતાં અટકાવનારા કુતર્કો સામે આવવાના. એના રદિયા આપ્ટે પણ કુતર્કવાળા કાંઈ માને કરે નહિ. ત્યારે શો રસ્તો લેવો? આ જ, કે તપની સાધના કરવી. સાધના પણ જોરદાર તપની કરવાની. ચારિત્ર લઈને ય સાધના જ કરવી છે, તો તે પહેલાં આ તપની સાધના કરવાની તાકાત નથી?
તપથી ભલભલા અંતરાય તુટે. જે કાર્ય બીજા-ત્રીજા ઉપાયે ન થાય એ જોરદાર તપની સાધનાથી થાય.
આ અટલ વિશ્વાસ પર જુઓ, લલિતાગ મહર્ષિએ કુતર્ક નાસ્તિક “અસંમત'ને વાદથી ચૂપ કરવાનો માર્ગ લેવાને બદલે તપની સાધનાનો માર્ગ લીધો. અલબત
જો તપ કાંઈ પેલાને ચૂપ કરવા માટે નહોતા કરતા, એ તો પોતાના ભૂતકાળનાં પાપને લક્ષમાં રાખી તપ જન્મ-જન્માંતરનાં જંગી પાપકર્મોને તોડવા માટે કરતા હતા. પરંતુ એ તપથી એવું સામર્થ્ય, એવો પ્રભાવ, એવું અંજામણ ઊભું થઈ ગયું, કે પાણીનું ઘોડાપૂર એમને ડુબાડી શક્યાં નહિ, અરે ! એમને અડ્યું પણ નહિ.
તપનો પ્રભાવ અદ્ભુત છે. આ પંચમ કાળમાં પણ એવા તપસ્વીઓ થઈ ગયા છે કે જેમના તપે ચમત્કાર સર્યા છે. એક કૃષ્ણષિ મુનિ થઈ ગયા કે જે ઘોર તપમાં પણ પારણે રસ-વિગઈઓનો સર્વથા ત્યાગ રાખતા અને સાથે કાયકષ્ટ સંલીનતા વગેરે તપ પણ જબરદસ્ત સાધતા. પરિણામે એમની ચરણરજ ઔષધનું કામ કરતી, પગ ધોયેલું પાણી રોગ મટાડતી.
*
*
*
*
:
૨૯. અન્યાય આંતરશત્રુનો ખટકે છે ?
કાકા કાકી:
જ IIIIIIIIIIIIIIII
IIIIIIIIIIIIIII
નાસ્તિક કેમ સહન કરે? :
લલિતાગ મહર્ષિના તપનો પ્રભાવ લોકોએ જોયો, તેથી લોકો સહેજે એમની પ્રશંસા, તપધર્મની પ્રશંસા અને અસંમત નાસ્તિકની અને એના નાસ્તિકવાદ-અધર્મવાદની નિંદા કરતા થયા. હવે અસંમતને આ કેમ સહન થાય? અન્યાયને સહી લેવો એ ધર્મ :
નાસ્તિકવાદમાં માનનારને સહિષ્ણુતા થોડી જ હોય? સહિષ્ણુતા તો ધર્મ છે. “અન્યાયની સામે પણ સામનો ન કરતાં, પોતે પોતાના પ્રત્યે થતા અન્યાયને શાંતિથી સહી લેવો' - એવું કોણ શિખવાડે ? જૈન ધર્મ જ એ શિખવાડે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org