SearchBrowseAboutContactDonate
Page Preview
Page 226
Loading...
Download File
Download File
Page Text
________________ ધ્યાન અને જીવન. (૨૧૩ દીક્ષા સામેના કુતર્કોના રદિયા માબાપની મોટી સેવા કઈ?: ધર્મ પમાડવાની : આવા કુતર્કો લડાવે ત્યાં રદિયા તો આપી શકાય કે “સંસારમાં રહેવાનું હોય ત્યાં સુધી માબાપની બાહ્ય સેવા અવશ્ય કરવાની. પરંતુ સંસારત્યાગ જ કરવો હોય તો પછી એ કરીને માબાપને ધર્મ પમાડવાની મોટી આભ્યન્તર સેવા આપવાની. માબાપના ઉપકારનો ખરો બદલો એથી જ વળે છે. ધર્મબિંદુ” પંચસૂત્ર' આદિ શાસ્ત્રો એ જ કહે છે. પણ આ સાંભળે કોણ ? “સાધુ-સાધ્વીમાં ઝગડાની વાત પણ ચિત્તને ગભરાવવા પૂરતી જ છે. ક્યાંક એવા સ્વભાવદોષથી બનતું હોય, તેથી શું બધે એવું? એના કરતાં તો સંસારમાં જુઓ તો ક્યાં ઝગડા નથી ? સંસાર જ એવો છે કે એમાં તો સહેજે ઝગડા થાય. કેમકે સંસારની જરૂરિયાતો કેટલી બધી? એના અંગે કેટકેટલાની સાથે ઉંચાનીચી થયા કરે ? ખરી રીતે તો ત્યાં પણ આપ ભલા તો જગ ભલા. સંસારમાં ય ઉંચાનીચીમાં જીવનનો આદર્શ “ઉપશમ” અને “સહન કરવાનું પકડીને ચલાય, તો તો લીલાલહેર જ છે. તો પછી સાધુજીવનમાં તો પૂછવાનું જ શું?” આ રદિયા ય મોહાંધો ન સાંભળે. સંસારમાં વૃદ્ધને ગુલામી નથી? : “ઉંમર થઈ, કોણ સંભાળશે ?' વગેરે કુતર્ક પણ બંડલ ફેંકવા જેવા છે. આજે કેટલા ય ઉંમરવાળા સાધુઓ આરાધના કર્યે જાય છે. પાણીના ઘડા ઉંચકાવવાની વાત પણ વાહિયાત છે. શું ભણેલા સાધુઓ શેઠાઈ કરે છે અને બીજાઓને નોકર બનાવે છે ? ખોટી વાત છે. સાધુ દરેક પોતપોતાનું કર્તવ્ય બજાવતા હોય છે. ઉંમરવાળાને વેઠ તો સંસારમાં કેટલી ય કરવી પડે છે, ગુલામી કેટલીય વેઠવી પડે છે. આજના છોકરા ને આજની વહુઓ કયા દેવના અવતાર છે ? યા રામ-સીતાના નમૂના છે કે દીકરો માબાપને ને વહુ સાસુ-સસરાને ફૂલની જેમ સાચવે, ને અખંડ વિનયથી વર્તે ? સંસારનું નાટક તો ખોલવા જેવું નથી. “ઘેર ઘેર માટીના ચૂલા અમસ્તુ કહેવાય છે ? એના કરતાં ચારિત્ર-જીવન લાખ દરજ્જુ સારું છે. પાણીનો ઘડો ઉંચકી લાવી એથી સંયમી સાધુની ભક્તિ કરવાનું તો અહોભાગ્યે મળે. દીક્ષા લેવા સામેના કતર્કો પર જો ધ્યાન દેવાનું હોય, તો કોઈ ભવમાં દીક્ષા લેવાની સરખાઈ જ ન દેખાય. નાની ઉંમરમાં માબાપ કયા ભવમાં ન હોય ? મોટી ઉંમરે બીજાં લફરાં ક્યાં નહિ? ઉંમર વિશેષ થયે ઉંમરનું બહાનું ક્યાં નહિ ? બસ, આ બધા સામે જોતાં બેસી રહેવું એનો તો અર્થ જ એ થાય કે “કોઈ ભવમાં ય જીવનની કોઈ પણ અવસ્થામાં સર્વ પાપત્યાગ કરી નિષ્પાપ પવિત્ર ચારિત્ર લેવાનું જ નહિ ! ને સંસારમાં બેઠા પાપસેવન કરતા રહી એ પાપોનાં ફળરૂપે ભવોમાં ભટકતા રહેવાનું !' Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004948
Book TitleDhyan ane Jivan
Original Sutra AuthorN/A
AuthorBhuvanbhanusuri, Padmasenvijay
PublisherOmkar Gyanmandir Surat
Publication Year1998
Total Pages478
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size23 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy