________________
૨માં ધ્યાન અને જીવન વ્યંતરદેવ આકર્ષાઈ સેવામાં લાગ્યો કહો, તે પાણીનાં પૂર એમને અડ્યા જ નહિ ! લોકો નગરના કિલ્લા પરથી જુએ છે તો મહર્ષિ પૂરની ઉપર ઊભા છે, શુભ ધ્યાનમાં ખડા છે. પૂર એમની આસપાસથી ચાલી જઈ રહ્યું છે ! લોકોને આશ્ચર્યનો પાર રહ્યો નહિ. લોક પ્રશંસા કરવા લાગ્યા, “અહો ! જુઓ તો ખરા કે મુનિના તપનો પ્રભાવ કેટલો જબરદસ્ત, કે પૂર એમના પર ફરી વળવાને બદલે એ પૂરની ઉપર છે ! વાહ, શી ધર્મની બલિહારી !”
નાસ્તિકની નિંદા :
મુનિની પ્રશંસા થવા સાથે પેલા અસંમત નાસ્તિકની ભારે નિંદા થવા લાગી. લોકો બોલી રહ્યા છે કે “આ જુઓ પેલો નાસ્તિક કહેતો હતો ને કે આત્મા નથી, ધર્મ નથી, પુણ્યપાપ નથી ? કેવો એ જુકો ? ધર્મનો આ પ્રત્યક્ષ પ્રભાવ દેખાય છે. મહર્ષિનાં ચારિત્રબળ અને તપોબળનો કેટલો ગજબ પ્રભાવ કે પાણીના પૂરે ઝાડોને ઢાંકી દીધા પણ મુનિને નહિ !' લોકોમાં મુનિની પ્રશંસા અને નાસ્તિકની નિંદા ચાલી પડી. અસંમત નાસ્તિક આ સહન કરી શકે? મુનિ પર એને ભારે ઈર્ષા આવી ગઈ, આકુળવ્યાકુળ થઈ ગયો, પણ બોલવાને જગા રહી નથી.
કહો જો મુનિના બાહ્ય તપનો પ્રભાવ કેવો ? નાસ્તિકની સાથે વાદ કરવા ગયા હોત તો શું નાસ્તિકને ચુપ કરી શકત ? હોઠ સાજ એને ઉત્તર ઝાઝા. કુતર્ક પર કુતર્ક જ લડાવવા, પથરા જ ફેંકવા, એ નીતિવાળો વળી શાનો અટકે ? પોતાનાં કથનનો સામેથી મજબૂત દલીલથી રદિયો મળવા છતાં એ હાર શાનો કબૂલે ? ચુપ શાનો થાય ? એ તો બીજો પથરો ફેંકે, નવો કુતર્ક લડાવે. એ કાંઈ એમ ચુપ ન થાય, એ તો કદાચ બોલતો બંધ થાય તો આવા તપના પ્રભાવે.
દીક્ષાર્થીને સ્વજનની ‘ના’ પર તપઃ દીક્ષા સામે કુતર્કોઃ
એટલા જ માટે આ એક સમજવા જેવું છે કે દીક્ષા સામે કુતર્કો આવે ત્યાં તપ કરવા જેવો છે. કેટલાક કુટુંબીઓ પોતાના મુમુક્ષુ વૈરાગી કુટુંબીને મોહથી દીક્ષા લેતાં અટકાવે છે અને એને ભારે બોલ સંભળાવે છે, કુતર્કો ઠોકે છે, પુત્રને કહેશે, “શું માબાપની સેવા નહિ કરવાની ? માબાપે કેટકેટલા ઉપકાર કરી મોટા કર્યા તેના પર આ બદલો વાળવાનો ?' દીકરીને કહેશે, “દીક્ષા દીક્ષા શું કરે છે ? સાધ્વી થઈશ પણ સાધ્વીઓમાં તો કેટલા ઝગડા ચાલે છે ?' દીકરો દીક્ષાર્થી બાપને કહેશે, “આ તમારી ઉમર થઈ, કોણ સાધુ તમારું સંભાળશે ? તમારી પાસે ઘડા ઉચકાવશે ઘડા !”
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org