SearchBrowseAboutContactDonate
Page Preview
Page 224
Loading...
Download File
Download File
Page Text
________________ ન ધ્યાન અને જીવન – કાયોત્સર્ગ-ધ્યાન” એટલે ખડા ખડા રહી વચન અને કાયાને વોસિરાવી દેવાના, કાયાને સ્થિર રાખી જરા ય હલાવવાની નહિ અને તદ્દન બંધ રાખી મૌન ધરી રાખવાનું. કાયાની સ્થિરતામાં આંખ પણ અડધી મીંચી રાખવાની. દૃષ્ટિ નાસિકાના અગ્ર ભાગ પર સ્થિર કરી બહારનું જોવાનું બંધ રાખવાનું. હાથ સહજ ભાવે લટકતા છોડી દેવાના. બસ હવે રહ્યું મન, તે મનને એક ચોક્કસ પ્રકારનું ધ્યાન પકડાવી દેવાનું. કોઈ બીજું-ત્રીજો વિચાર નહિ, વિકલ્પ નહિ કે “ઠંડી લાગે છે', યા “ગરમી લાગે છે, મચ્છર કરડ્યો'... કોઈ જ વિકલ્પ નહિ, માત્ર સૂત્રચિંતન, યા અર્થચિંતન, તત્ત્વ-પદાર્થ ચિંતન. ઉપવાસ સહિત કાયોત્સર્ગમાં છ તપ આ સૂત્રાર્થ-તત્ત્વચિંતન એ આભ્યન્તર તપ છે. એનો વિચાર આપણે કરવાનો છે. પણ હમણાં બાહ્ય તપનું મહત્ત્વ જોઈએ છીએ. મુનિએ ઉપવાસો આદર્યા છે એટલે સહેજે એમાં ખાવું જ નથી તો ઊનોદરિકા, વૃત્તિસંક્ષેપ અને રસત્યાગ તો આવી જ ગયા. સાથે કાયોત્સર્ગ ધ્યાનમાં છે એટલે બાહ્ય તપનો ચોથો-પાંચમો પ્રકાર “કાયકષ્ટ” અને “સંલીનતા” યાને સંગોપન તપ પણ ચાલુ થઈ ગયા છે. કલાકોના કલાકો કાયોત્સર્ગમાં ઊભા રહેવું એટલે કાયાને કષ્ટ તો પડે જ ને ? એમાં વળી કાયાને લેશ પણ હલાવવાની નહિ, હાથ હલાવવો નહિ, પગ નહિ, આંખ પણ ફેરવવાની નહિ,... એવા એ બધાને ગોપવી રાખવાના, તેમ તદન મૌન એટલે વાણી પણ ગોપવી રાખવાની. એમ કાયા અને વચનની સંલીનતા બની. સાથે મનને એવું ગોપવી રાખવાનું કે નક્કી કરેલા ચિંતન સિવાય બીજા એક પણ વિચારમાં એ જાય નહિ. એમ મનની પણ સલીનતા આવી. નદીમાં પૂર ઃ આમ છએ પ્રકારના બાહ્ય તપમાં મહર્ષિ દિવસોના દિવસો લીન બની ગયા. એનો જુઓ કેવો જબરદસ્ત પ્રભાવ પડ્યો ! બન્યું એવું કે એકવાર પાસેની નદીમાં ભારે પૂર આવ્યું. નગર કંઈક ઉંચાણમાં છે તેથી નગરમાં તો પાણી ન ફરી વળ્યું, પરંતુ નગરના ઠેઠ દરવાજા સુધી પાણીનું પૂર પહોંચી વળ્યું ! આ હિસાબે ઉદ્યાનનું શું પૂછવું ? ઉદ્યાન પર પાણી એવું ફરી વળ્યું કે જળબંબાકાર ! તે ય માથોડાં જેવાં પાણી ચડી ગયાં, એમાં વૃક્ષો પણ ડૂબાડૂબ થઈ ગયા. મુનિના તપનો પ્રભાવ પરંતુ ખૂબી એ થઈ કે મુનિ તો ત્યાં ધ્યાનમાં જ ઊભા છે, એમને ખસવું નથી. “એક જ લગની છે કે જે થાઓ તે થાઓ, સાધના આદરેલી મૂકવી નથી.” આ તપના પ્રભાવે એક વિશિષ્ટ શક્તિ ઊભી થઈ ગઈ કહો. કે નજીકનો કોઈ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004948
Book TitleDhyan ane Jivan
Original Sutra AuthorN/A
AuthorBhuvanbhanusuri, Padmasenvijay
PublisherOmkar Gyanmandir Surat
Publication Year1998
Total Pages478
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size23 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy