________________
–ાન ધ્યાન અને જીવન એ અસંમત નાસ્તિક બેતાજ બાદશાહ જેવો થઈને ફરે છે. કેઈકને ઊંધા માર્ગે દોરે છે. કોણ રોકે એને ? શ્રીમંત છે, કોઈની પરવા નથી. જડબાના જોરે ફાવે તેમ લવારો કરતો ફરે છે.
નાસ્તિકતામાં ટુંકી બુદ્ધિ આદિની ગુલામી છે :
પુણ્યના યોગે શ્રીમંતાઈ મળી, જીભડીનું જોર મળ્યું, બુદ્ધિશક્તિ મળી, એથી શું કરવાનું ? અભિમાન અને સ્વપરનો નાશ? જીવ માને છે કે, “હું સ્વતંત્ર છું, પરંતુ ખરેખર તો તીવ્ર વિષયલાલસા, અહંકાર અને આપમતિ કરાવનાર મોહનીય કર્મના તાબા હેઠળ મોહની ભારે પરતંત્રતા-પરાધીનતા સેવતો હોય છે, એની એને ખબર નથી, વિવેક વાપરવો નથી, અનુભવીના અનુભવ લેવા નથી, જાતે વસ્તુના ઉંડાણમાં જેવું નથી, આંખે દેખ્યું જ માનવું છે, એ ટુંકી બુદ્ધિની પરતંત્રતા-ગુલામી નહિ તો બીજું શું છે ? જગતમાં જીવ અનેક વાતે પરતંત્ર હોય છે.
લલિતાંગ મુનિનો વિવેક :
લલિતાંગ મુનિ અહીં આવ્યા છે. એમને કોઈકે કહ્યું, “મહારાજ ! અહીં આવો અસંમત નાસ્તિક રહે છે. એ તમારી ખબર લેવા આવશે. માટે એની ચર્ચા સાથે કરવા તૈયાર રહેજો.'
મુનિએ એની વિગત સાંભળી મનમાં વિચાર કર્યો કે “આ કાંઈ બૂઝે એવો લાગતો નથી, તો ફોગટ જીભાજોડી શું કામ કરવી? પથરા સાથે માથું કાં કૂટવું? એમાં માથું ભાગે, પથરો ન ભાંગે. નાહક મારી આત્મસાધના કાં ચૂકું ?'
વાત પણ સાચી છે કે અજ્ઞઃ સુખમારાધ્યા, સુખતરમારાથ્થો વિશેષજ્ઞઃ જ્ઞાનલવ-દુર્વિદગ્ધ બ્રહ્માપિ તે નરં ન રન્જયતિ
અજ્ઞાન-અભણને હજી સહેલાઈથી સમજાવાય, વિવેકીને વળી વિશેષ સહેલાઈથી સમજાવી શકાય, પરંતુ જ્ઞાનના લેશથી દોઢડાહ્યા અને ઘમંડી અભિનિવેશી (દુરાગ્રહી) બનેલાને બ્રહ્મા પણ ન સમજાવી શકે. એટલે કદાચ એમને અસંમતે પડકાર્યા હશે ત્યાં
મુનિ તપના માર્ગે
લલિતાગ મહર્ષિ વિચાર કરે છે કે “આવા નાસ્તિકને વાદ કરીને સમજાવવા જતાં એનું તો કાંઈ સુધરે નહિ, પરંતુ મારું આરાધવાનું રહી જાય. એના કરતાં મને મારું સંભાળવા દે. એમ વિચારીને એ નગરની બહાર ઉદ્યાનમાં ચાલી ગયા. ત્યાં જઈને એમણે ઉપવાસ આદર્યા અને કાયોત્સર્ગ-ધ્યાનમાં રહેવા લાગ્યા.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org