________________
ધ્યાન અને જીવન
લલિતાંગ મુનિ એકાકી :
લલિતાંગ મુનિ ચારિત્ર લઈને મચી પડ્યા આરાધનામાં. નિત્ય ગુરુસેવામાં રહી જ્ઞાનયોગમાં શાસ્ત્રાધ્યયન-ચિંતન કરવા સાથે મહાવ્રતોનું અણીશુદ્ધ પાલન અને બારે પ્રકારના તપની ભવ્ય આરાધના કરે છે ! પછીથી યોગ્ય જાણી ગુરુ એમને ઊંચા અભિગ્રહોથી યુક્ત કઠોર ચારિત્ર-તપની આરાધના સાથે એકાકી વિચરવાની અનુજ્ઞા આપે છે.
પાપની હોંશ કરતાં વધુ કર્મની હોંશ :
લલિતાંગ મુનિને ભારે હોંશ છે, કે ‘જો પાપ સેવવામાં બાકી રાખી નથી, તો હવે ચારિત્ર અને તપની તક મળ્યા પછી એ સેવવામાં શું કામ બાકી રાખું ? જેટલી હોંશ અને જેટલા જોશથી પાપ કર્યાં છે એથી પણ વધુ હોંશ અને વધુ જોશથી ચારિત્ર અને તપની સાધના કર્યા વિના એ પાપો શે જાય ? માટે જો પાપ કરતાં આવડ્યાં તો હવે આ સાધના કરતાં પણ આવડે છે. ભગીરથ આરાધું અને તન-મન અને કર્મોને તોડી નાખું.’ એ ભાવથી લલિતાંગ મુનિ ઉગ્ર ચારિત્ર-તપની સાધનામાં લાગી ગયા.
અસંમત નાસ્તિક
૨૦૯
હવે એવું બને છે કે લલિતાંગ મહર્ષિ દેશોદેશ વિચરતાં વિચરતાં સહજ ભાવે એક એવા નગરમાં આવી ગયા કે જ્યાં એક અસંમત નામનો નાસ્તિક રહે છે. મૂળ એ એક ધનાઢ્ય માણસનો છોકરો, પણ બિચારો કોઈ તીવ્ર મિથ્યાત્વ કર્મ અને માનકષાયના ઉદયે અભિમાની નાસ્તિકવાદી બની ગયેલો. એ અભિમાનથી સગા બાપને ને સગી માને ય ગણતો નથી ! ઉપરાંત કુટુંબ કે સમાજના કોઈ પણ વૃદ્ધ પૂજ્ય પુરુષને ય ગણકારતો નથી. આત્મા-ધર્મ-કર્મ પુણ્ય-પાપ-પરલોક, કશાને માનતો નથી. પાછો વળી એ જરા બુદ્ધિમાન છે, કુતર્ક બહુ આવડે, તે લોકોને ય એના નાસ્તિકવાદથી ભરમાવે છે. કેઈક ભોળાઓને નાસ્તિક વાદમાં તાણે છે. નગરમાં બાદશાહ જેવો થઈને ફરે છે. એને આત્મા-પુણ્ય-પાપ વગેરે કશું માન્ય નથી, કશું સંમત નથી, એટલે એનું ‘અસંમત' એવું નામ પડી ગયું છે.
નાસ્તિકની જોહુકમી ઃ
15
આ અસંમત નાસ્તિક અભિમાનના તોરમાં તણાયો. બહારથી કોઈ સાધુ-સંન્યાસી-જોગી-બાવા આવે એની પણ ખબર લઈ નાખે છે ‘કેટલું ભણ્યા છો ? લાવો સાબિત કરો તમારો આત્મા, પુણ્ય-પાપ, પરલોક...' એમ પડકાર કરે છે. પેલા સાબિત કરવા જાય ત્યારે આ સામે કુતર્કોની ઝડીમાર વરસાવે છે. એટલે પેલાઓને આ પથરાને સમજાવવો અશક્ય જાણી પછી મૌન પકડવું પડે છે. એમ
Jair Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org