________________
૨૦૮
ધ્યાન અને જીવન
અશરણપણે ભટકતા જીવને માંડ માનવ અવતાર મળે અને એમાં ય કોઈ વિશિષ્ટ પુણ્યોદયે અતિ દુર્લભ એવો આવા ગુરુનો યોગ મળે, પરંતુ એ મળ્યાની કદર જોઈએ. એ તો મનુષ્યભવ અનંતા મળ્યા અને ગુરુયોગ પણ અનંત વાર મળ્યા, પરંતુ એની કદર જ ન કરી, એવા સદ્ગુરુઓની કિંમત જ ન સમજ્યા, પછી એમનાં ચરી સમર્પિત થઈ બેસી જઈને મહામૂલા મોક્ષમાર્ગની આરાધના કરવાની વાત જ ક્યાં ? તેથી તો જીવ હજી સુધી પાપવાસનાઓ, પાપબુદ્ધિ અને પાપ પ્રવૃત્તિઓમાં સહ્યા કરતો સંસારમાં ભટક્યા કરે છે.
ગુરુયોગની કદર નહિ એની વિટંબણા :
તમને સદ્ગુરુયોગ મળ્યો છે ? મળ્યો છે તો એની કદર કરો છો ? મનને એમ થાય છે ખરું ? કે સંસારમાં બીજું બધું મળે છે, પણ આવો ગુરુયોગ અને મોક્ષમાર્ગ ઝટ ન મળે. જીવન તો તપાસો કે કેવું ચાલી રહ્યું છે ? કેટલી વિટંબણા ભોગવો છો ? ગુરુની અને મોક્ષમાર્ગની કશી ગમ નહિ, કદર નહિ, એટલે સંસારના ઈષ્ટ-અનિષ્ટમાં કેટલું કૂટાવાનું થાય છે ? કેટલાં પાપ સેવાય છે ? કેટકેટલું આર્તધ્યાન ચાલ્યા કરે છે ?
ઈષ્ટ-અનિષ્ટનાં આર્તધ્યાન કેમ અટકે ?
સંસારતત્ત્વ અને મોક્ષતત્ત્વ સમજાય તો કેટલાંય આર્તધ્યાન અટકી જાય, અટકાવી દેવાય.
ઈષ્ટ વસ્તુનાં આર્તધ્યાન ટાળવા આ વિચાર જોઈએ કે ના ઈષ્ટ-ઈષ્ટ તો સંસારના તકલાદી તત્ત્વ છે, નાશવંત છે, આવ્યા-ગયાં છે. એમાં ક્યાં ક્યાં આર્તધ્યાન કરતો બેસીશ ? કર્મના હાથની એ વસ્તુ છે, એમાં તું ફોગટ આર્તધ્યાન કરી કરી શા માટે કૂટાય ? એથી કાંઈ ઊપજવાનું નથી, ચાલવા દે, કર્મ એનું ચલાવે, તું તારું તત્ત્વચિંતન ચલાવ.'
અનિષ્ટનું આર્તધ્યાન ટાળવા આ વિચાર, કે ‘અનિષ્ટ એ મારાં પૂર્વના કર્મના હાથની વસ્તુ છે, એનું ય આર્તધ્યાન શા સારુ કરવું ? તું જો સાવધાન હો, તત્ત્વચિંતનમાં રમતો હો અને બહાર પ્રત્યે ઉદાસીન હો, તો અનિષ્ટથી તારા આત્માનું શું બગડે છે ? અનિષ્ટ આવ્યું એટલે બહારનું તો બગડ્યું તો બગડ્યું, પણ તું હાથે કરીને આર્તધ્યાન કરી કરી અંદરનું તારા આત્માનું શા સારુ બગાડે ? એમ. બગાડ્યા કરવાથી તારો કદી મોક્ષ નહિ થાય. મોક્ષ તો અનંત જ્ઞાન-દર્શન-ચારિત્ર સ્વરૂપ છે, એ લાવવું હોય તો અહીં થોડા પણ જ્ઞાન-દર્શન-ચારિત્ર-તપની જ ચિંતા રાખ.' સંસારતત્ત્વ અને મોક્ષાત્ત્વ સમજ્યા હો અને સમજ્યાની કદર હોય, તો હંમેશા પ્રતિપળ આ સાવધાન રહે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org