________________
ધ્યાન અને જીવન
(૨૦૭) સકલ કર્મથી રહિત બની મુક્ત થાય છે, આત્માનો શાશ્વત મોક્ષ થાય છે. ઉચ્ચ માનવભવમાં આ નહિ થાય તો બીજા કયા ભવમાં આ થઈ શકવાનું ?
આવા
‘હે મહાનુભાવ ! તું એ જો, કે આત્માએ સંસાર રાગ, મિથ્યાત્વ, અજ્ઞાન, પાપ પ્રવૃત્તિઓ અને આહારાદિ તથા ક્રોધાદિ સંજ્ઞાઓ દ્વારા જ કર્મ ઉપાર્જેલાં છે, એટલે હવે એનાથી વિપરીત માર્ગે ચાલવાથી કર્મોનો ઉચ્છેદ થઈ જાય એ સહજ છે. એ ન્યાયયુક્ત છે કે જે કારણે સંસાર, એનાથી વિપરીત કારણોએ મોક્ષ થાય.' એ વિપરીત માર્ગ તે આ વૈરાગ્ય, સમ્યગ્દર્શન, જ્ઞાન-ચારિત્ર-તપ. હજી જીવન હાથમાં છે ત્યાં સુધી આ માર્ગનું ઉચ્ચ કોટિનું આરાધન કર અને એથી સર્વ પાપ, સમસ્ત કર્મ અને સંસારનો ઉચ્છેદ કરી મોક્ષની મંગળ માળાને વર.''
લલિતાંગને ઉત્સાહ :
સાધુ મહાત્માની આ વેધક દિવ્યવાણી સાંભળી લલિતાંગ રાજકુમાર ખૂબ જ પ્રભાવિત થયો. વળી એને આશ્વાસન મળ્યું કે ‘ફિકર નહિ ત્યારે, ભલે પાપ ભારે આચરાઈ ગયાં છે છતાં આ માર્ગે ચાલીને મારાં સર્વ પાપ સર્વ કર્મોનો નાશ કરી શકાશે.’ એને એ પંચવિધ માર્ગ લેવાનો અને અણીશુદ્ધ આદરવાનો ભારે ઉત્સાહ આવી ગયો અને સાધુ મહાત્માને પગમાં પડી આંખમાં આંસુ સાથે બે હાથ જોડી કહે છે –
‘પ્રભુ ! આજે તો આપે મને ભવ્યાતિભવ્ય તત્ત્વપ્રકાશ આપી દીધો ! આપે મારાં અંતરનાં કમાડ ખોલી દીધાં ! આપે મારા પર અપ્રતિકાર્ય અનહદ ઉપકાર કર્યો છે, તો હવે જો યોગ્ય લાગે તો મને આ તારણહાર મોક્ષ-માર્ગ આપવાની કૃપા કરો. આ પાપભર્યા સંસારવાસ પરથી મારું મન તદ્દન ઉઠી ગયું છે, ‘આપઘાત કરી નાખું’ વગેરે મિથ્યા બુદ્ધિ તો ગઈ, પણ હવે તો
-
‘કર્મો મને શું કચરતા હતાં, હું જ કર્મોને કચરી નાખું', એવી તમન્ના જાગી છે. તો એ માટે મોક્ષમાર્ગની શક્ય એવી ઊંચી આરાધના માટે કરવી છે. માટે મને એ માર્ગે ચડાવવાની કૃપા કરો.'
લલિતાંગ દીક્ષા લે છે ઃ
સાધુ મહાત્માએ એને યોગ્ય જાણી સમ્યક્ત્વ સાથે ચારિત્રની દીક્ષા આપી. લલિતાંગ હવે રાજકુમાર મટી લલિતાંગ મુનિ બન્યા.
ગુરુની કદર પહેલી જરૂરી :
સાચો માર્ગ બતાવનારની બલિહારી છે. કુશળ શિલ્પી પાષાણમાંથી પરમાત્માની પ્રતિમા બનાવે છે. એમ ચારિત્ર સંપન્ન ગુરુ પત્થર જેવા આત્માને પરમાત્મા બનાવવા માર્ગે જોડી દે છે ! ચોરાશી લાખ યોનિઓમાં નિરાધાર
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org