________________
૨૦૬
ધ્યાન અને જીવન
પાકો ભવનિર્વેદ હશે, તો જ સાધના કરતી વખતે પ્રલોભનો કે કષ્ટને ભયને નગણ્ય કરાશે, કેમકે હવે તો પોતાની કાયા પર પણ નિર્વેદ છે.
(૨) સમ્યગ્દર્શન :
“આની સાથે એ નક્કી કર કે ‘આવા સંસારને તથા અનંત કાળને પ્રત્યક્ષ નિહાળી, એના ઉચ્છેદ માટે સચોટ માર્ગ પણ પ્રત્યક્ષથી જોઈ, જગતને એ સંસાર અને એના ઉચ્છેદનું યથાસ્થિતસ્વરૂપ કહેનાર કોઈ હોય તો તે વીતરાગ સર્વજ્ઞ છે. એ ભગવંતનાં વચન ટંકશાળી છે, સર્વ સત્ય છે, આત્માનાં એકાંત કલ્યાણને કરનારા છે' અને એમ નક્કી કરી સર્વજ્ઞ-વચન પર સર્વેસર્વા શ્રદ્ધા કર કે આ જ સાચાં અને આ જ હિતકર.’ આને ‘સમ્યગ્દર્શન' કહેવાય.
(૩) સમ્યક્ચારિત્ર :
આ નક્કી કરીને એ સર્વજ્ઞ ભગવંતે ઓળખાવેલા નાના-મોટાં સમસ્ત પાપ વ્યાપારોનો યાને માનસિક-વાચિક-કાયિક સઘળી પાપ પ્રવૃત્તિઓનો તથા હિંસા-જુઠ-ચોરી-મૈથુન-પરિગ્રહનો સર્વથા ત્યાગ કર. ‘એ કરું નહિ, કરાવું નહિ, બીજા કરે એમાં લેશ પણ સંમતિ-રાજીપો-ભાગલાગો રાખું નહિ.' આવી જીવનભર માટે પ્રતિજ્ઞા કર. આને ‘સમ્યક્ ચારિત્ર' કહેવાય.
(૪) સમ્યજ્ઞાન
પછી જીવન એવું જ જીવવાનું કે એમાં લેશ પણ એ ત્યાગ કરેલ પાપનું મન વચન કે કાયાથી આચરણ થાય નહિ.
પછી એ ચારિત્ર જીવનમાં કંઈ કામ તો કરવાનું જ રહેશે, નહિતર નવરું મન નખ્ખોદ વાળે. તો કામ આ કરવાનું કે સર્વજ્ઞ ભગવાને ઉપદેશેલ શાસ્ત્રોનો સ્વાધ્યાય કરવાનો, એનું પઠન, અધ્યયન, ચિંતન-મનન કરતા રહેવાનું, આને ‘સમ્યજ્ઞાન’ની આરાધના કહેવાય.
(૫) સમ્યકૃતપ :
‘એની સાથે બાહ્ય અને આભ્યન્તર ૬-૬ પ્રકારનો તપ આરાધવાનો.'' આ આરાધનાને ‘સમ્યક્તપ’ કહેવાય. બાહ્ય તપમાં અનશન-ઊનોરિકા... વગેરે ગણાય. આત્યંતરમાં પ્રાયશ્ચિત્ત-વિનય-વૈયાવચ્ય... આદિ આવે. એમાં જેટલી તારી તાકાત, એ પ્રમાણે તપ આચરવાનો. શક્તિ જરા ય ગોપવવાની નહિ.
આ વૈરાગ્ય-સમ્યગ્દર્શન-સમ્યજ્ઞાન-સમ્યક્ ચારિત્ર-સમ્યક્ તપ એ પંચવિધ મોક્ષમાર્ગ છે અને એની આરાધનાથી નવા કર્મબંધ અટકી જુનાં જન્મ-જન્માંતરનાં બંધાયેલાં કર્મોનો વિધ્વંસ થઈ જાય છે !'' એમ વિધ્વંસ થતાં થતાં અંતે આત્મા
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org