SearchBrowseAboutContactDonate
Page Preview
Page 218
Loading...
Download File
Download File
Page Text
________________ - ધ્યાન અને જીવન ૨૦૫કદાચ કોઈએ આ જીવનમાં એવાં ઉગ્ર પાપો ન ય કર્યો હોય, તેથી શું એમ માનો છો કે એણે પૂર્વ જીવનોમાં પાપ નહિ કર્યો હોય ? જો કરેલાં હોય તો શું એ બધાં નાશ જ પામી ગયા ? ના, જંગી પાપો ઊભાં છે ! છતાં ઉપાયો આદરીને જન્મ-જન્માંતરનાં પાપોનો નાશ કરી શકાય છે. માટે જ સર્વજ્ઞ તીર્થકર ભગવાને પોતે પણ અહીં મહાપવિત્ર છતાં પોતાનાં પૂર્વનાં પાપ નષ્ટ કરવા ભારે ઉપાય આદરેલાં અને બીજ મહર્ષિઓએ પણ એમના કહેલા. ઉપાયનાં સેવન કર્યા છે. એથી જ પાપો નષ્ટ કર્યા છે. ત્યારે તો એ સર્વજ્ઞ ભગવાન કે મહર્ષિ બન્યા છે. બસ, સુબુદ્ધ જીવ ! આ વસ્તુ પર શ્રદ્ધા કર અને ઉત્સાહ લાવ કે “હું ? ઉપાયોમાં ભગીરથ પુરુષાર્થ કરી મારાં પાપ તોડી નાખીશ.' હજી જીવન હાથમાં છે ત્યાં સુધી આ બહુ શક્ય છે. પાપનાશના કઠોર ઉપાય આદરવાના નિર્ધાર સાથે એના ઉત્કૃષ્ટ આદર-આચરણ કરી ભવ પાર કરી જવાય છે.” લલિતાંગ રાજકુમારને મહાત્માની હૃદયસ્પર્શી વાણી સાંભળી નવચૈતન્ય આવ્યું, ઉલ્લાસ પ્રગટ્યો, મન ફોરું થઈ ગયું. એ મહાત્માના પગમાં પડી હાથ જોડી કહે છે, પ્રભુ ! આપે મારા પર મહા અવર્ણનીય ઉપકાર કર્યો. ઘોર પાપાચરણથી મારું મન ભારે થઈ ગયું હતું, તે હવે મને સમજાઈ ગયું કે અહીં જીવતો છું ત્યાં સુધી ઉપાય દ્વારા પાપનાશ કરી શકાય એમ છે. તો હવે મારે આપઘાતની મૂર્ખાઈ નથી કરવી. પાપાચરણનો ઉલ્લાસ હતો એના કરતાં મને અધિક ઉલ્લાસ હવે જીવતો રહી પાપનાશના ઉપાયો અજમાવવાનો જાગ્યો છે. આ જગાડીને આપે મારા પર કેટલો ગજબ ઉપકાર કર્યો ? તો હવે વિશેષ કૃપા કરીને મને શા શા ઉપાય આદરવા તે બતાવો.” પાપનાશના ૫ સચોટ ઉપાયો સાધુ મહાત્મા એને માર્ગનો જિજ્ઞાસુ જાણી ઉદ્ધારનો માર્ગ બતાવે છે, કહે છે - (૧) ભવનિર્વેદ જો ભાઈ ! પહેલાં એટલું નક્કી કર કે “આ સંસાર પાપોનું ઘર હોવાથી તદ્દન નિસાર-નિર્ગુણ-નિરુપકારી છે, આપણા આત્માનો અપકારી છે, માટે રહેવા લાયક નથી.” એમ એના પર ગ્લાની અરુચિ અબહુમાન ઊભું કર. આને ભવનિર્વેદ' યાને “સંસારવૈરાગ્ય' કહેવાય. પછી સંસારમાં ગમે તેવા મોટા લચબચા દેવતાઈ સુખ પણ મળતા હોય, તો ય તે નાશવંત હોવાથી અને રાગ-દ્વેષાદિ પાપોથી કલંકિત હોવાથી એના પ્રત્યે પણ ગ્લાની-અરુચિ-અભાવ જ ઊભો રહેશે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004948
Book TitleDhyan ane Jivan
Original Sutra AuthorN/A
AuthorBhuvanbhanusuri, Padmasenvijay
PublisherOmkar Gyanmandir Surat
Publication Year1998
Total Pages478
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size23 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy