________________
૨૦૪
ધ્યાન અને જીવન
લલિતાંગને સાધુની દિવ્યવાણી :
ઘોર પાપો પણ ઉપાયથી કેમ નાશ પામે ? :
સાધુ મહાત્મા કહે છે, ‘‘ઉપાયનું શું પૂછે છે ?
‘(૧) સેંકડો દિવસ સુધી આચડ-કુચડ મનમાન્યું ખાઈ ખાઈને પેટ બગાડ્યું, શરીર બગાડ્યું હોય, તો ય સારા વૈદ્યના ૪-૬ મહિનાના ઉપચારથી સારું થાય છે ને ? અરે, લંઘન જેવા પર ચડી જાય તો ય દોષો બળી જાય છે ને ?''
‘(૨) વરસો સુધી અવળા ધંધા કરી મૂડી ખોઈ નાખી હોય, ગરીબી વહોરી હોય, તો ય સવળા ધંધાથી પાછી કમાઈ થાય છે ને ?’’
‘(૩) અભિમાનના તોરમાં કેટલાયની સાથે બગાડ્યું હોય, છતાં ભૂલ સમજાતાં વિનય, નમ્રતા, પરોપકાર, સેવાભાવ વગેરેથી એમના સદ્ભાવ મેળવી શકાય છે ને ?’’
‘બસ, એ જ રીતે સમજ કે જીવનમાં મૂઢતા-અજ્ઞાનતાવશ ગમે તેટલાં પાપ થઈ ગયાં હોય, પરંતુ સર્વજ્ઞ ભગવાને બતાવેલ ઉપાયો દ્વારા એનો નાશ કરી શકાય છે. તો એવા પ્રભુ મળ્યા પછી મરવાનું કરવું ? કે એમણે બતાવેલ ઉપાયોમાં લાગી જવું ?''
કર્મરોગ કાઢનાર ધન્વંતરી પ્રભુ :
‘એ વીતરાગ ભગવાન અનંતજ્ઞાની છે, મહાન ધન્વંતરી વૈદ છે, ને કર્મરોગ કાઢવાના સચોટ ઉપાય જાણે છે, તથા જગતને એ બતાવે છે. એ ઉપાયો એ પ્રભુએ સ્વયં પોતાના જીવનમાં અજમાવ્યા છે અને એથી જ પોતે સર્વપાપોનો નાશ કરીને વીતરાગ સર્વજ્ઞ બન્યા છે, તેમ એમણે એ ઉપાયો બતાવીને કેટલાયને એ માર્ગે ચડાવી નિષ્પાપ કર્યા છે.
જીવ અનાદિથી પાપી છે. માટે પાપનાશના ઉપાય કરવા પડે :
‘‘હે ભાગ્યવાન ! તું એટલું તો જો કે જીવ કાંઈ અનાદિ કાળથી સીધો-સાદો સજ્ઞાન અને નિષ્પાપ નથી હોતો, પછી ભલેને એ વીતરાગ સર્વજ્ઞનો કે મોટા મહર્ષિનો જીવ હોય. સંસારના જીવમાત્ર અનાદિ કાળથી તો મૂઢ, અજ્ઞાન અને અવળી ચાલે ચાલનારો હોય છે. એટલે એ પાપો કરવામાં શું બાકી રાખે ? આવા સુંદર માનવ જીવનમાં ય જ્યાં સુધી મહાત્માનો સત્સંગ ન મળ્યો હોય, સજ્ઞાનતા ન આવી હોય, ત્યાં સુધી તો જીવ પાપો જ પાપો કરતો જ રહે છે. એમાં ય પાપનાં જેવાં નિમિત્ત મળે એવાં પાપાચરણ કરે છે. છતાં જો સત્સંગથી કંઈક સારો બોધ પામે, તો ઉપાય આદરીને એ પાપોને હલકાં કરી શકે છે, હટાવી શકે છે, ક્રમશઃ નિષ્પાપ વીતરાગ બની શકે છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org