________________
ધ્યાન અને જીવન
૨૦૩
પાપશલ્યના ઉદ્ધાર અર્થે તો ડહાપણનું કામ આ, કે ગુરુ આગળ એને જણાવી દેવા
‘તરત દાન ને મહાપુણ્ય'ની જેમ પાપ સેવાઈ ગયા પછી એને તરત ગુર આગળ કહી દઈ પ્રાયશ્ચિત્ત માગી લેવાનું, પણ એનો ઉધારો નહિ રાખવાનો જીવનમાં પહેલી સાવધાની આ, કે ઝીણાં પણ પાપ વિચાર-વાણી-વર્તાવનો ભા પશ્ચાત્તાપ રાખી ગુરુ આગળ એનું નિવેદન-આલોચન કરી દેવું.
રાજકુમાર લલિતાંગ અહીં સાધુ મહારાજ આગળ પોતાનું દિલ ઠાલવે છે બનેલાં પાપાચરણને વિગતવાર ભારે દુ:ખ સાથે કહી દે છે અને છેવટે કહે છે ‘ભગવંત ! હું મહાપાપી હવે જીવવાને લાયક નથી. બસ, આપઘાત કરી મર જઈશ, તો જ આ પૃથ્વી મારા જેવા પાપીના ભારથી હલકી થશે.'
સાધુ મહાત્મા એને કહે છે, ‘ભાગ્યવાન ! એ તો તું સમજે છે ને કે તેં પા ઘોર કર્યાં છે ? તો શું એમ માને છે કે આપઘાત કરવા માત્રથી એ પાપ ધોવા જશે ? વળી આ જન્મ અને જન્માંતરોમાં જીવે કેટલાં બધાં પાપ સેવેલાં ? શું અર્હ મરવા માત્રથી એ ય બધાં જ પાપો નાશ પામી જશે ?
‘આપઘાતથી તું મરીશ, પણ તારા અહીંના અને ભવોભવના જંગી પાપો કે મરશે ? તો શું તારે એ બધાં ય પાપોને માર્યા વિના મરવું છે ? તને ખબર છે ખરી કે,
પાપોના નાશ માટે ઉત્તમ જીવન એક માનવભવ.
‘એ હજી તારા હાથમાં છે ? આજ સુધી તો તેં આટલા વરસ જીવ્યો એમ પાપોના નાશ માટેનો પ્રયત્ન કર્યો નથી, પણ હજી જીવનનો જે બાકી ભાગ તાર હાથમાં છે, એને ગુમાવી નહિ નાખતાં એમાં પાપોનો નાશ કરવા માટેનો પુરુષા કાં ન કરે ? ધ્યાન રાખ કે,
પાપોને મારી મર્યો તો જીવ ન્યાલ થઈ જાય, ને પાપોને ઊભાં રાખી અહીંથી ગયો તો જીવના બેહાલ થવાના.’
‘આવું સુંદર જીવન હાથમાં છે એનો ઉત્તમ ઉપયોગ કરી લે. પાપથ કંટાળીને જીવન પર કંટાળો લાવવા માત્રથી પાપોનો નાશ નહિ થાય. સુંદ જીવનને સુંદર ચર્યામાં લગાડી દે, જેથી આત્મા નિષ્પાપ નિર્મળ બનતો જાય.'
રાજકુમાર લલિતાંગ આ તત્ત્વવાણી સાંભળીને ઉલ્લસિત બન્યો, એનું મ ફોરું થઈ ગયું, મનને ધરપત થઈ કે ‘હાશ ! તો તો હજી પાપોનો નાશ કરવ માટેની બાજી હાથમાં છે.' એ ચકિત થઈને પૂછે છે, ‘હેં પ્રભુ ! તો શું મારાં ઘો પાપોનો નાશ કરવાના ઉપાય છે ?’
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org