________________
૨૮. પાપશલ્ય ભયંકર : તપનો પ્રભાવ
લલિતાંગનો સંતાપ :
રાજકુમાર લલિતાંગના દિલમાં (૧) મંત્રી પત્નીમાં મોહિત થવાનું અને (૨) એને હસ્તગત કરવા કપટજાળ આદર્યાનું તથા (૩) એ નિમિત્તે મંત્રી ભયંકર વિટંબણામાં મુકાયાનું એટલું ભારે દુઃખ ને એટલો બધો સંતાપ ચાલ્યા કરે છે કે એના દિલને ચેન નથી. એને “શું નું શું કરી નાખું?” – એમ મનને થયા કરે છે. એને એમ લાગે છે કે “હું જીવવા લાયક નથી. આ ધરતી મારા જેવા ઘોર પાપીથી ભારે થઈ રહી છે. હાય ! આવો ઉત્તમ માનવ જનમ મેં પાશવી પાપાચરણથી કલંકિત કરી નાખ્યો ? તો હવે બહેતર છે કે આપઘાત જ કરું.” બાપે સા કરી એનું દુઃખ નથી, પોતાનાં પાપોનું દુઃખ છે. સાધુદર્શન : સાધુસંતનું મૂલ્યઃ
મનમાં વલોપાત અને આત્મહત્યા કરવાના વિચારમાં ચાલ્યો જાય છે. એમાં એને ત્યાગી નિગ્રંથ મુનિ મહારાજ મળી ગયા. બળેલો-ઝળેલો એ સાધુસંતને દેખી પોતાના દિલની ગડમથલ એમની આગળ ઠાલવે છે. સાધુ જેવા દયાળુ કોણ મળે ? એ તો ઘોર અપરાધી ઉપર પણ દયા ધરનારા હોય છે. એટલે અપરાધીને એમની પાસેથી આશ્વાસન મળવાની આશા રહે છે. પછી એમની આગળ દિલ ઠાલવવાનું મન કેમ ન થાય? દુનિયામાં અપરાધીને આશ્વાસન આપનાર બીજું કોણ છે?
પ્ર. - સગી મા કે સારો મિત્ર યા પત્ની આશ્વાસન આપે ને ? ઉ. - કેટલે સુધી આપે ? અને માનો ને આપે, તો ય બીજું એ પણ છે કે,
એવા અપરાધ પછી પણ સાચો રસ્તો જે મળે તો તે મોટા ભાગે સાધુસંત પાસેથી મળે. એટલે પણ અપરાધીને સાધુ મહારાજ જે રસ્તો બતાવે, તે દુનિયાના સગા-સ્નેહી ક્યાંથી બતાવી શકવાના ? સ્વયં મોહમાં પડેલા અને મોહમય જીવન જીવનારા પાસેથી આત્માના હિતની પ્રેરણા ક્યાંથી મળે ? સાધુ સંતે મોહને ફગાવી દીધો છે. એટલે જ એ બીજાને સાચો માર્ગ બતાવે છે. તેથી જ અપરાધી જીવને એમની આગળ દિલ ખોલીને પોતાનાં પાપ કહેવાનું દિલ થાય છે અને એ રીતે દિલ ખોલીને એ વાત કરે છે. સ્વમાન મૂકાય તો જ પાપનો ઈકરાર થાય :
એટલું ખરું કે પહેલાં તો પોતાના દિલમાં પાપાચરણની ભયંકરતા લાગવી
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org