SearchBrowseAboutContactDonate
Page Preview
Page 213
Loading...
Download File
Download File
Page Text
________________ - ૧૦૦ને ધ્યાન અને જીવન - ભગવાનની વાણી સાંભળવામાં નહિ, જીભ ભગવાનના ગુણ ગાવામાં ને ભગવાનના શાસ્ત્ર ગોખવામાં નહિ, પૈસા ભગવાનના સાત ક્ષેત્રમાં ખરચવામાં ને ભગવાનને વહાલા જીવોની દયા કરવામાં નહિ, ને ચાર છોકરામાંથી એક પણ પુત્ર ભગવાનના શાસન માટે નહિ. આ કૃતજ્ઞતા કે કૃતજ્ઞતા ? “ઘર લઈને બેઠા એટલે પાપો કરવા પડે એમ માન્યા પછી “આ કૃતજ્ઞતાનું પાપ અને ભગવાનની ઉપેક્ષાનું પાપ પણ કરવું પડે, કરવામાં વાંધો નહિ', એમ ને? કઈ દુર્દશા? એમાં આર્તધ્યાન કેવાં રકમબંધ અને ક્વાં ચિકણાં ચાલવાનાં? અરિહંતદેવ પ્રત્યે જો આ કૃતજ્ઞતા નથી, ને એ ન હોવાનો સંતાપ નથી, પછી એ તત્ત્વની વાતો કરે કે દેખાવના યોગ, ક્રિયા કે ધ્યાને લઈ બેસે તો ય શું એ શુભ ધ્યાનમાં છે? પાપમાં વાંધો ન લાગે એને પાપનો પશ્ચાત્તાપ શાનો હોય ? એ પ્રતિક્રમણ શા સાર કરે ? કરવાં પડતાં પાપોનો પશ્ચાત્તાપ-પ્રતિક્રમણ હોય તો ત્યાં કમમાં કમ પાપ ખોટાં લાગવાનું બેઠું હોય, પાપ ખોટાં લાગે, પાપનો પશ્ચાત્તાપ થાય, એ ઉત્થાનનું પહેલું પગથિયું. પાપનો ભય નહિ એ પતનનું પહેલું પગથિયું. લલિતાંગે શું કર્યું? પેલા લલિતાંગ રાજકુમારને મંત્રી પત્નીને ઉપાડવાનો અને એથી મંત્રી પર વરસેલી ભયંકર આફતનો ભારે પશ્ચાત્તાપ જાગ્યો. મંત્રીને બચાવી લેવા એ મંત્રી પત્ની કહે છે, “આ બહુ ખોટું થયું. હવે તો રાજા સાહેબને સાચી વાત કહી મંત્રીને બચાવી લેવા જોઈએ.” પેલી કહે, “આ શું કહો છો ? તો શું હવે મારે ફૂટવું? બોલશો નહિ, એ તો બધું ચાલ્યા કરે.” કેવું નિર્દય નિષ્ફર સ્ત્રી હૃદય ! કુમાર કહે, “પણ આપણે તો ગુનેગાર છીએ. ત્યારે મંત્રી, તો સાવ નિર્દોષ છે. આપણે જ ટાવા લાયક છીએ, એ નહિ.” બસ, એ ગયો બાપ રાજા પાસે અને ભારે ખેદ અને આંખમાં આંસુ સાથે બધી હકીક્ત બની હતી તેવી કહી દીધી. રાજાને ભારે આશ્ચર્ય સાથે દુઃખ થયું કે પોતે મંત્રીને ઘોર અન્યાય કર્યો અને પોતાના જ પુત્રે આવું અધમ કાર્ય કર્યું ! પુત્ર પર ગુસ્સે ભરાયો, મંત્રી પર આદર થયો. - હવે શું કરવાનું ? બહાર નીકળી ગયેલ મંત્રીને હાથી પર બેસાડી મોટા સ્વાગત સાથે નગર પ્રવેશ કરાવ્યો, એની પત્ની સોંપી અને રાજકુમારને દેશ નિકાલ કર્યો. લોકોમાં રાજાની ન્યાય પ્રિયતા અને મંત્રીની નિર્દોષતા ગવાઈ, રાજકમાર ચાલી ગયો દેશાવર. દેશનિકાલનું દુઃખ પામવાનો એને ખેદ નથી, પણ પાપાચરણનો એને ભારે ખેદ છે. એટલે જુઓ હવે એ શું કરે છે. * * * Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004948
Book TitleDhyan ane Jivan
Original Sutra AuthorN/A
AuthorBhuvanbhanusuri, Padmasenvijay
PublisherOmkar Gyanmandir Surat
Publication Year1998
Total Pages478
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size23 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy