________________
-૧૯૮ના ધ્યાન અને જીવન - શું તમારે નિયમ છે ખરો કે પ્રભુની પૂજામાં મારે રોજ કમમાં કમ એક અગરબત્તીનો ટુકડો ને એક વરખનું ચોથિયું પાનું લઈ જવું?
મહિને ૧ આંગલુછણું લઈ જવાનો નિયમ ખરો? 'સાંસારિક કોઈ પ્રસંગમાં મોટા ખર્ચ કરો ત્યારે ભગવાનને આંગી કરાવવાના પાંચ રૂપિયા તમને મળે? ભગવાનના હકનું તમારે ત્યાં કાંઈ છે?
ઘરમાં બે બાબા વધી જાય તો એના ખર્ચનું તો તમારે ત્યાં છે, પરંતુ ભગવાન માટે તમારે ત્યાં કશું છે ? ના. ભગવાનનો માલ મળી ગયો, પછી ભગવાનને માટે હવે કશું નથી, એમજ ને ? એટલે જ ભગવાનને ઘંટ સોંપ્યો છે? બાપાને ઘંટડી પકડાવી :
એક શેઠે ભોળા થઈ સ્વાર્થમાયાથી સેવા-વિનય કરનાર દીકરાને દુકાનને પૈસા સોંપી દીધા. બસ, દીકરાને હવે જોઈતું મળી ગયું, પછી બાપાજીની શી જરૂર ? સેવા-વિનયમાં ઓટ આવતી ગઈ.
છોકરાની વહુ કહે છે, “બાપુ ! આ તમારે પેશાબ-પાણી માટે વારે વારે નીચે ઉતરવું પડે, તો એના કરતાં નીચે બેઠક રાખો. ભાણું ય નીચે મોકલી આપીશ.” ડોસાને નીચે ઉતાર્યા.
ભાણું મોકલવામાં મોડું થતું, ડોસો કહે, “કેમ આમ ?” વહુ કહે, “આ ઘરખટલામાં એવું થાય છે. તેથી લ્યો આ ઘંટડી રાખો. જરા ટાઈમસર ઘંટડી વગાડજો એટલે ભાણું નીચે આવી જશે.”
શું પકડાવ્યું ડોસાને ? ઘંટડી ! એમ તમે પણ ભગવાનની આગળ ઘંટ એટલા માટે જ રાખ્યો છે ને ? તે ય ઘંટ વાગે એટલે ભગવાનનાં માત્ર કોરાં દર્શન જ કરી આવવાના ને ? કે - તમને મળેલા ભગવાનના માલમાંથી કાંઈ ભગવાનને ધરવાનું ખરું? કેટલી રકમનું ધરવાનું?
ભગવાનનો માલ વાપરો છો એ તમને ખબર છે? આ સુંદર મનુષ્ય-અવતાર તમને તમારા માબાપની હોશિયારીથી મળ્યો છે ? યા શું તમારી પોતાની હોશિયારીથી મળી ગયો છે ? શું તમે પૂર્વભવેથી આ ઘરની પસંદગી કરી ચાલીને અહીં આવ્યા છો ? ના, એ તો તમે ભગવાનને ભજેલા, એટલે ભગવાનના જ પ્રભાવે તમારે અહીં આવવાની પુણ્યની ચિઠ્ઠિ ફાટી. એમ સારું શરીર, પાંચે ઈન્દ્રિયો પરિપૂર્ણ અને મન પાગલ નહિ પણ સ્વસ્થ મળ્યું, બધું ભગવાનના પ્રભાવે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org