________________
ધ્યાન અને જીવન F૧૯૭)રચાયા કરે. પ્રતિક્રમણ રોજ નહિ કરનારને આ ભરચક પાપધૃણા-સંતાપ જ ક્યાં ? રોજ પાપો કરીએ પછી પ્રતિક્રમણનો શો અર્થ ?' એમ કહેનારો તો એમજ સમજી બેઠો છે કે “અગર પાપ છૂટતા નથી, તો પછી એનો સંતાપ-પશ્ચાત્તાપ ધૃણા-અફસોસ કરવો નકામો છે. “ખપ એનો શોષ નહિ એ દશા આવીને ઊભી રહી ! ત્યારે જો પશ્ચાત્તાપ જ નથી, તો ક્યારેય પાપ છોડવાની વાત જ ક્યાં?
પાપત્યાગ માટે પહેલા જરૂરી ઉપાય પાપ-પશ્ચાત્તાપ છે. જુઠું બોલવાનું ખોટું લાગે તો કોઈ દિવસ એ છોડવાનો. પણ જેને ખોટું જ નથી લાગતું, પછી એ શું કામ છોડે ? પ્રતિક્રમણ એ પાપત્યાગની આ પહેલી ભૂમિકા રચી આપે છે કે પાપને ખોટાં લગાડી આપે, પાપના પશ્ચાત્તાપ જગાડી આપે. “પ્રતિક્રમણની શી જરૂર છે ?” અથવા “પ્રતિક્રમણ કરીએ ન કરીએ સરખું જ છે', એમ કહેનારાને પાપના પશ્ચાત્તાપનો ખપ નથી. એ ખપ ન હોય એને પાપ ખોટાં ક્યાં લાગ્યાં ? અને એ છોડવાની વાત ક્યાં ?
પ્ર. - પણ ઘર લઈને બેઠા એટલે પાપ તો કરવો જ પડે ને ?
ઉ. - “પાપ કરવાં પડે' એવું માન્યા પછી મનમાં એમ રહે છે ખરું ને કે પાપ કરવામાં વાંધો નહિ ?' પાપમાં વાંધો ન લાગે એ કઈ દશા ? એમાં વળી ઘર લઈને બેઠા' એ સૂત્ર પકડીને ચાલ્યા, એટલે એ વધાવેલા ઘરને ચલાવવા મનમાન્યા કેટલા પાપ જરૂરી ગણવાનું થાય છે એ વિચારો. દા.ત. મનને થાય છે મારી જાતને અને મારા સંસારને નભાવવા માટે ખર્ચ કેટલા ય કરવા પડે, ત્યાં ભગવાનની પૂજામાં રોજ દૂધ-ચંદન-ધૂપ લઈ જવા મારી પાસે જગા જ ક્યાં છે ?' એવી તરણતારણ ભગવાનની ય ઉપેક્ષા કરવાનું પાપ આવે ને ? એ પાપમાં વાંધો નહિ ને ? ભગવાન પ્રત્યેની કૃતજ્ઞતા ભૂલવાનું પાપ આવે ને ? “ઘર લઈને બેઠા એટલે આ પાપ કરવામાં વાંધો નહિ, પાપ કરવું પડે', એવું મનમાં થાય ને?
ભગવાનની પૂજા શું માગે? કુટુંબને માટે દોઢ શેર દૂધ લવાય, પણ ભગવાન માટે નવટાંક દૂધ લઈ જવાય ? કુટુંબના ધૂમ ખરચા કરાય, પણ પરમ ઉપકારી ભગવાનને માટે મહિને એક ગજનું ય અંગલૂછણું જાય ? ઘર માટે બાર આનાનું શાક ખરું, પણ ભગવાનની પૂજામાં બે આનાના ફૂલ ખરા ? અનાજના ભારે ખરચ ચલાવાય, પૂજામાં એક ધૂપસળી ખરી ? ઠાઠ-ઠઠારામાં ખર્ચ ખરો, પૂજામાં એક વરખનું પાનિયું ખરું ? એક થોકડી રૂપેરી વરખ કેટલાની આવે ? દસ રૂપિયાની, એનાં પાનાં કેટલાં ? ૧૬, એના ચોથિયા ટૂકડા કેટલા થાય ? ૬૪, ભગવાનની પૂજામાં રોજ એક ચોથિયો ટૂકડો એટલે ચોસઠ દહાડા માટે દસ રૂપિયા ખરચવો પાલવે ? એક અગરબત્તીનું પડિકું કેટલાનું આવે ? બે રૂપિયાનું. એમાં સળીઓ કેટલી ? ૨૫-૩૦ એકના ૩-૩ ટુકડા કરો તો ય ૭૫-૯૦ ટુકડા થાય. રોજ એક ટુકડો પૂજામાં લઈ જાઓ તો ય પંચોતેર દહાડાનો માત્ર બે રૂપિયાનો ખર્ચ ! એટલું ય તમને પોષાય?
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org