________________
૧૯)નાં ધ્યાન અને જીવન | (પ-૬) દેહમાં તન્મયતાઃ ભરપૂર આર્તધ્યાન:
વિષયલંપટતા કેવી ભૂંડી ખતરનાક છે ! એ આત્માનું ભાન ભુલાવી દેહમાં જ તન્મય રાખે છે ! એમાંથી ભરપૂર આર્તધ્યાન સહેલું બને છે. જુઓ આર્તધ્યાન શાના પર ચાલે છે? મોટા ભાગે ગમતા-અણગમતા શબ્દાદિ વિષયોના સંયોગ-વિયોગ અંગે જ ને? શું છે એ? ઈન્દ્રિયોને વિષયોની લંપટતા લાગી છે એટલે ચિત્ત એની ચિંતામાં પડ્યું રહેવાનું. પછી એ મનને બહુ સતાવે એટલે એમાંથી અનર્થકારી અપકૃત્યો સરજાય એમાં નવાઈ નથી. આ બધું વિષયલંપટતાના લી.
રાજકુમારનો પલ્ટોઃ
રાજકુમારે એવું પગલું ભર્યું કે મંત્રીને બિચારાને ઉખડી જવું પડ્યું. પરંતુ હવે આ જ નિમિત્ત પર જુઓ કે રાજકુમારનો કેવો ઉદય થાય છે !
રાજકુમાર લલિતાંગને મંત્રીની ભયંકર દુર્દશા જોઈ મનમાં એકદમ આઘાત લાગ્યો કે “અરેરે ! આ મારાં પગલાંનું આ પરિણામ ?” રાજકુમારને આટલે સુધીની કલ્પના નહોતી કે “પત્નીના કુવામાં પડ્યા પછી મંત્રી લોકમાં આટલો બધો ફિટકાર પામશે અને રાજા એનું બધું જપ્ત કરી એને રખડતો કરશે.” પરંતુ બન્યું તો એવું જ. એક મોટા મંત્રીપણાના હોદાવાળો માણસ અને એનો પાછો કોઈ વાંક ગુનો નહિ, છતાં પામ્યો આટલી બધી દુર્દશા ! રાજકુમારને ભારે પસ્તાવો થયો, “અરેરે ! આ હું કેટલો બધો દુષ્ટ ! આ મેં શું કરી નાખ્યું? કેવી મારી ગોઝારી વિષયલંપટતા ! હે જીવ ! આ ઘોર પાપ કરી તું ક્યાં જવાનો? મરવાનું તો છે જ. પણ મર્યા પછી તારા હાલ કેવા! ભયંકર દુર્ગતિ-ભ્રમણ ! બસ, તો હવે મારે આ પાપ જરા ય નભાવાય જ નહિ.”
બસ, સાચા પશ્ચાત્તાપની અને સ્વાત્મનિંદાની જરૂર છે. અજ્ઞાનતાવશ, મોહમૂઢતાવશ, કષાયવશ પાપ થઈ ગયાં, પણ પછી એ કર્યાનો સળગતો સંતાપ-પશ્ચાત્તાપ થાય, પોતાનો એ પાપ સેવનારો આત્મા અધમ-કુટિલ-મૂઢ લાગે, તો પતિત આત્માને પણ ઉદ્ધારનો અવકાશ છે. જો પાપનો પશ્ચાત્તાપ જ નથી, પાપ સેવ્યાં એમાં હૈયાને કાંઈ દુઃખ લાગતું જ નથી, ઊલટું પોતાના આત્માની વડાઈ જ લાગે છે, આત્માની અધમતા દેખાતી જ નથી, તો એનો ઉદ્ધાર શો ? ઉત્થાન ક્યાં ? સવાર, સાંજ પ્રતિક્રમણ કરવામાં આ ખૂબી છે, કે એ ઉત્થાનનું પહેલું પગથિયું માંડી આપે, સાચું પ્રતિક્રમણ હોય તો એમાં નાના-મોટા કઈ પાપોનો પશ્ચાત્તાપ સળગે, પાપકારી પોતાની જાત પર દુગંછા થાય કે “હું કેવો દુષ્ટ કે મેં આ પાપો સેવ્યાં !” એટલે હવે સમજાશે કે જે પ્રશ્ન થાય છે –
પ્ર. - રોજ ને રોજ પાપ આચરવાનાં, પછી પ્રતિક્રમણનો શો અર્થ?
ઉ. - અર્થ આ, કે પ્રતિક્રમણથી રોજ ને રોજ પાપનો પશ્ચાત્તાપ, પાપની ધૃણા, પાપકારી પોતાના આત્માની દુર્ગછા થયા કરે, ને એમ ઉત્થાનનું પહેલું પગથિયું
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org