________________
( ૧૫)
ધ્યાન અને જીવન ત્યારે વિષયલંપટતાની પાછળ સંતાન થયા, તો ત્યાં પણ અધિકાર જમાવે છે કે “આ તો મારાં સંતાન, એ કાંઈ શાસનને આપી દેવા માટે નથી.” સંતાન બિચારા એમનાં પોતાનાં પુણ્ય અહીં આવ્યાં, પણ હવે અહીં વિષયાંધ અને સ્વાર્થી માબાપના કબજે પૂરાયાં, તે માબાપ અધિકાર જમાવે છે ! કેવા ગોઝારા અધિકાર છે? મૂળમાં સંસાર-સુખની લાલસા પર પાપો કર્યા, હવે એમાં પૂર્વનાં પુણ્ય થયેલ કમાઈ પર એવા અધિકાર જમાવવા છે કે ત્યાં ન દાન, ન હિતષ્ટિ પૈસાનું દાન નહિ ! સંતાનના હિતની દૃષ્ટિ નહિ ! પરિણામ ? સ્વ-પરનું નિકંદન ! કેવી ગોઝારી અધિકાર-બજવણી ?
(૩) પૂજ્યભાવ-સેવાભાવ ઉપકારી પરથી બીજે
વિષયલંપટતા ભૂંડી ! એ દેવ-ગુરુ-તીર્થ વગેરેને નીચા પાટલે રખાવે છે ! છોકરી પરણી નથી ત્યાં સુધી પોતાના મહા ઉપકારી માતા-પિતા માટે “શી વાત મારી બા ! મારા બાપુજી !' કરે, અનહદ પૂજ્યભાવ, ભક્તિભાવ અને સેવાભાવ રાખે, પણ પરણ્યા પછી ? “શી વાત મારા પતિ !” કરશે ! સેવા-ભક્તિ-પૂજ્યભાવ મા-બાપ પરથી ઉંચકાઈને અહીં પતિ પર સ્થપાય છે ! માબાપના ઉપકાર જેવો પતિનો કોઈ ઉપકાર છે? ના, તો કેમ આમ? કહો, વિષયલંપટતાને લીધે.
(૪) ત્યારે મમત્વનાં ય કેવાં પરિવર્તન છે ! વિષયલંપટતા ભૂંડી. જઓ માબાપની પ્રત્યે છોકરાની ય કઈ દશા છે ? એમ ઘરવાળી કર્યા પછી મનમાં એને ઉંચા પાટલે અને માતાને નીચા પાટલે બેસાડે છે ! પત્નીની સલાહ કિંમતી ગણે છે, ને માબાપની સલાહ કિંમત વિનાની ! ઘરવાળીની ખબર વારંવાર પૂછશે, ને માતાપિતાની દિવસમાં કદાચ એકવાર પણ નહિ ! ઘરવાળીના સંતાન “પોતાના” માનશે, ને માતાપિતાની એ “પોતાના” નહિ ! મમતા ઉંચકાઈને બેઠી પત્ની પર. સોનાની કંઠી કોની ડોકમાં :
બોલો, માતાપિતા તો પ્રત્યક્ષ ઉપકારી દેખાય છે, તો પણ એ નીચેના પાટલે, તો પછી રોકડા રૂપિયા કે વિષયસુખ દેવાનો ઉપકાર જેમનો પ્રત્યક્ષમાં નથી દેખાતો એવા દેવ-ગુરુ કયા પાટલે રહેવાના ? ગુરુ કહે એ કાંઈ નહિ, ગોરાણી કહે એ લાખ રૂપિયાની વાત ! બજારમાં પાંચ પૈસા વધુ કમાયો, તો સોનાની કંઠી ખરીદીને ક્યાં નાખે ? ભગવાનની ડોકમાં ? માતાની ડોકમાં ? કે ઘરવાળીની ડોકમાં ? માતાપિતા, દેવ-ગુરુ વગેરે કેમ નીચેના પાટલે ? કહો, વિષયલંપટતા ભૂંડી. એ વિષયપાત્રને ઉંચે રખાવી, પૂજ્યો ઉપકારીઓ અને ગુણસંપન્નોને નીચા પાટલે બેસાડે છે, અરે ! કદાચ એમની અવગણના પણ કરાવે છે ! જુઓ,
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org