________________
નજીની ધ્યાન અને જીવન સંસાર સુખના લહાવા લેવાનું મન થયું અને એકલાનો બેકલો થયો એના પર કેટલા ય પાપસ્થાનકો સેવવાં પડે છે અને આફતો–સંકડામણો-ચિતા સંતાપ આવ્યા કરે છે !” આવું મનને ક્યાં લાગે છે ? ત્યાં તો મન કહે છે,
જીવવું છે એટલે પાપસ્થાનક તો સેવવા જ પડે ને ?'
અલ્યા ! બ્રહ્મચારી નથી જીવતા ? સાધુ નથી જીવતા ? એમને છે આટલાં પાપસ્થાનકો? એક તારી વાસનાના પાપે ઘરવાળી કરવા ગયો, પછી એની ખાતર અને એનાં બચકાંઓની ખાતર જ કેટકેટલું કરી રહ્યો છે ને ? મૂળમાં શું? કોઈની છોકરીની શું દયા આવી ગઈ હતી કે “લાવ, એનું બિચારીનું કોણ પૂરું કરશે તે હું એનું પૂરું કરું? એને લહેર કરાવું ?' જે દયા જ હોત તો તો રુડી રૂપાળી શોધવા ન ગયા હોત. ખેર ! રૂડી રૂપાળી શોધી લાવીને ઘરે બેસાડી, પણ તે પછી એના પર આંખ-કાન વગેરે ઈન્દ્રિયોથી ચિટકી ન પડ્યો હોત. કહો, મૂળમાં દયા-બયા કાંઈ નહિ, વિષય લંપટતાએ જ બેડી વહોરી, ને ચિકાર પાપસ્થાનકો સેવતા ગયા, તેમ આફતો પણ એના જ લીધે અને ચિંતા-સંતાપ પણ એથી જ ઊભા થાય છે.
મોહની મોહિનીની આ ખૂબી છે કે આફત કે ચિંતા ઊભી થતાં અકળામણ થાય, પણ એમ ન માનવા દે કે “આ મૂળમાં મારી વિષયલંપટતાને આભારી છે.” જે આવું સમજાઈ ગયું હોત તો તો સંતાનને વારંવાર શિખામણ દેત કે “જો જે ભાઈ ! આ સંસારની ચાહના કરશો નહિ, નહિતર અમારી જેમ પાર વિનાનાં પાપસ્થાનક સેવવાં પડશે અને પાર વિનાની આફતો, ચિંતાઓ અને સંતાપ આવ્યા કરશે.” બોલો, સંતાનને નાનપણથી જ આ શીખવો છો ? ના, કેમકે મૂઢ હૃદયને એ લાગ્યું નથી કે “મારી વિષયલંપટતાને લીધે જ આ પાપસ્થાનકો ભર્યું અને ચિંતા-સંતાપ-આફતો ભર્યું જીવન ઊભું થયું છે. પાપાચરણ અને દુઃખ વેદનના મૂળમાં મારી કામવાસના જ જવાબદાર છે.” આવું જાતને જ લાગ્યું ન હોય, પછી સંતાનને શાના શીખવો ? આપત્તિનાં ખરાં કારણની ગમ ક્યાં ?
(૨) પાપકમાઈ પર ખોટા અધિકાર :
વિષયલંપટતા ભૂડી! એ “પાપ અને દુઃખ એની લીધે” આ સત્ય સમજવા ન દે તો ન દે, પણ ઉપરથી પાપકમાઈ પર ખોટા અધિકાર જમાવરાવે !
એ કેવી રીતે ?
આ રીતે, કે વિષય લંપટતાથી ઘરે પત્ની લઈ આવ્યો, હવે એની ખાતર ધંધો-રોજગારી કરી, ને પૈસા કમાઈ લાવ્યો. એમાંથી પોતાનું અને એનું પૂરું પણ કર્યું, પરંતુ પછી વધેલા પૈસા શુભ ખાતે ખરચી નાખે ખરો ? ના, ત્યાં તો કહેશે
આ તો મારા પરસેવાની કમાઈ છે, તે શું બહાર ફેંકી દેવા માટે છે ?” પૈસા પર કેવો અધિકાર સ્થપાય છે ?
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org