________________
ધ્યાન અને જીવન
૧૯૩
જીવનમાં આ એક જબરદસ્ત બોધપાઠ લેવા જેવો છે, કે ‘આપણે સન્માર્ગે ચાલ્યા જતા હોઈએ, તત્ત્વષ્ટિથી વર્તતા હોઈએ, ત્યાં પછી અજ્ઞાન માણસો એને સમજ્યા વિના ઉપર ઉપરનું જોઈને ખોટો અભિપ્રાય બાંધે, નિંદા કરે, તેથી કાંઈ આપણે સન્માર્ગ અને તત્ત્વષ્ટિથી ખસી જવાનું નહિ’.
જોજો, વેઠવાનું આવે એને તત્ત્વદેષ્ટિ કે સન્માર્ગ ખાતે નહિ પણ કર્મના ખાતે ખતવવાનું. માનવાનું કે આ વેઠવાનું આવ્યું એ આપણાં કર્મના લીધે જ છે. આપણાં અશુભનો ઉદય હોય તો લોકમાં અપકીર્તિ થાય, પણ એથી તો એવાં કર્મ ભોગવાઈને નષ્ટ થાય છે, ફિકર નહિ. અશુભ કર્મથી અપકીર્તિ થાય, એથી કાંઈ સન્માર્ગ ખોટો નથી ઠરતો, કે તત્ત્વદૃષ્ટિ ખોટી નથી ઠરતી. માટે મારે જરા ય એમ નહિ માનવાનું કે આપણા સન્માર્ગે યા તત્ત્વદૃષ્ટિએ ચાલવાના લીધે કષ્ટ આવ્યું.
આપત્તિ-સંપત્તિને કર્મના ખાતે ખતવવાથી મન સ્વસ્થ રહે છે, પ્રશાન્ત રહે છે અને સન્માર્ગ તથા તત્ત્વષ્ટિને ન્યાય અપાય છે, એની કિંમત લેશ પણ ઘટાડવાનું નથી બનતું. મયણાસુંદરીએ લોકની નિંદા કર્મ-ખાતે ખતવી, તત્ત્વદૃષ્ટિના ખાતે નહિ, એણે એમ ન માન્યું કે ‘આ તત્ત્વદેષ્ટિ રાખી તેથી ઉપાધિ થઈ.' એણે તો કર્મના ઉદયને લીધે નિંદા થવાનું માન્યું. તત્ત્વદૃષ્ટિ રાખવાને લીધે પોતાની નિંદા થઈ એમ કરી તત્ત્વદૃષ્ટિનું મૂલ્ય શું કામ ઘટાડે ?
મંત્રીને બિચારાને સન્માર્ગસ્થ હોવા છતાં લોકનિંદા આવી પડી ! રાજા તરફથી ફિટકાર સાથે બધું જપ્ત થવાની સજા મળી ! મંત્રીને પત્ની તો ગઈ તો ગઈ, પણ ઉપરથી બેઆબરૂ અને બધું જપ્ત ! લોકની વાત પર શો મદાર બાંધવો ? મંત્રીપત્ની અને રાજકુમારનું આ કેવું બેસુમારનું અપકૃત્ય ! પ્રપંચ અને અનાચારથી જાતે મરી રહ્યા છે અને મંત્રીને પણ મારી રહ્યા છે.
***
Jain Education International
૨૭. વિષયાંધતા ભૂંડી :
ભગવાનના હકનું તમારે ત્યાં છે ?
(૧) વિષયાંધતામાં આપત્તિનાં ખરાં કારણની ગમ નહિ :
વિષયની લંપટતામાં જીવ ભયંકર પણ અનર્થો જોવા તૈયાર નથી, અનર્થોની એને પરવા નથી. ગમે તેવાં નુકસાન ઉતરી આવો, પણ અતિ મૂઢતા એમ માનવા ય દે નહિ કે ‘આ મારી વિષયલંપટતાને લીધે ઉતરી આવ્યાં !' છતાં શું તમારા મનને લાગે છે ખરું કે ‘આ આપદાઓ મારી દુષ્ટ વિષય-લાલસાને લીધે આવી ?
For Private & Personal Use Only
www.jainelibrary.org