SearchBrowseAboutContactDonate
Page Preview
Page 205
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૯૨ ધ્યાન અને જીવન કેવો ખતરનાક ઉપાય ? આમાં સદાચારને ટકવાને જગા જ ક્યાં રહે ? કુમાર વિષયાંધ બન્યો છે, જાગેલી કામવાસના સામે કઠણ બનવાને બદલે વિહ્વળ થયો છે. એ હવે શે બચશે ? એણે ખાનગી સુરંગ ખોદાવી, માણસો મૂક્યા અને મંત્રીપત્નીએ પતિની સાથે ખોટો ઝગડો વધારી દઈ ‘લ્યો ત્યારે, તમારે આમ જ કરવું છે તો હું તો મરીશ', એમ કહી દોડીને પડી કૂવામાં. અંદરકુમારના માણસોએ એને તરત ઝીલી લીધી, ને એ પહોંચી કુમારના ગુપ્ત આવાસે. અહીં હવે મંત્રીની બિચારાની દશા જુઓ. પત્ની જેવી કૂવામાં પડી કે તરત મંત્રીએ એને બહાર કાઢવા તજવીજ કરી, માણસો બોલાવ્યા અને કૂવામાં ઉતાર્યા. અહીં તો પત્ની પડતાવેંત ઝીલાઈને કુમારના આવાસે લઈ જવાય છે, એટલે આ માણસો અંદર તપાસ કરે પણ એ ક્યાંથી મળે ? સમજ્યા કે ઉંડાણમાં નીચે ડુબી ગઈ લાગે છે, મંત્રીને ખબર કહ્યા, એને ખેદનો પાર ન રહ્યો ! હવે ખરેખર હકીકત જુદી છે, પણ પ્રત્યક્ષમાં જુદું દેખાય છે કે પત્ની બિચારી મંત્રીના ત્રાસથી કૂવે પડી. બોલો સાચું શું ? કેટલીય આવી ઉડીઉંડાઈ વાત પર મદાર બાંધો છો ને ? પણ સમજી રાખો કે પ્રત્યક્ષ દેખાતું બધું સાચું ન પણ હોય. ચળકે એટલું સોનું નહિ. માટે લોકવાયકા પર મદાર ન બાંધવો. લોકને શું ? મંત્રીની કરુણ દશા ઃ અહીં લોકમાં વાત ફેલાઈ કે મંત્રીના રોજના કકળાટથી એની પત્નીએ કૂવામાં પડી આપઘાત કર્યો. મંત્રી કેવો નાલાયક !' રાજાના કાને પણ આ વાત પહોંચી અને એ ગુસ્સે ભરાયો. મંત્રીની બધી મિલ્કત જપ્ત કરી એને હોદ્દા પરથી ઉતારી મૂક્યો બીજી બાજુ લોકમાં મંત્રીને ફિટકારની અવધિ ન રહી. કેવો જુલ્મ છે ! દુરાચારીઓનાં ષડયંત્રના પાસા પોબાર પડે ! અને સદાચારી વગર વાંકે દંડાય ! એ કેટલો જુલ્મ ? દુનિયા સાચાની ? કે જૂઠાની ? દુનિયાને શું છે ? એને તો ઉપકિયું જોવું છે, અંદરખાને ક્યાં ઉતરવું છે ? અંદરખાને ભલે ને પોલંપોલ હોય, ઉપરથી દેખાડવામાં ડાકડમાળ છે ને ? બસ, લોકને આ આવડે કે એ જોઈને ઝટ એમાં કૂદી પડવાનું, ને ઝટ સર્ટિફિકેટ ફાડવાનું, પછી ભલે એ બોગસ સર્ટિફિકેટ હોય ! મયણાસુંદરી માટે લોકોએ બોગસ સર્ટિફિકેટ ફાડ્યું ને ? એની અંદરની તત્ત્વદૃષ્ટિ અને એની રક્ષા માટે કોઢિયા પતિને ય સ્વીકારી લેવાનું સત્ત્વ, એ કેવા અનુપમ ગુણ ? પણ લોકને એ ક્યાં જોવું છે ? ક્યાં એની કદર કરવી છે ? બસ, બાપની સામે બોલી ? લ્યો, તો એનું આ ફળ પામી' - લોકનો આ બોલ. છતાં મયણાસુંદરી એથી ગભરાઈ નહિ. મન પર એની જરાય અસર ન લીધી. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004948
Book TitleDhyan ane Jivan
Original Sutra AuthorN/A
AuthorBhuvanbhanusuri, Padmasenvijay
PublisherOmkar Gyanmandir Surat
Publication Year1998
Total Pages478
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size23 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy