________________
ધ્યાન અને જીવન - રાખી ઊભા હોત તો એને મુનિ પર મુગ્ધ થવાનું ન રહેત. પણ મુનિ એમ જુએ શું કામ ? સ્ત્રીનાં મુખનું કે ગાત્રનું દર્શન એ રાગના વિકારને જાગવા માટેનું નિમિત્ત છે, પતનનું નિમિત્ત છે. એટલે મુનિ એવાં નિમિત્તોથી દૂર જ રહે છે, નિમિત્તને સેવતા નથી. મહાયોગી પણ મુનિ સ્ત્રીમુખ દર્શન-ગાત્રદર્શન જેવું ખરાબ નિમિત્ત ન સેવે. ત્યાં મહાયોગીપણાની ખુમારી ન રાખે કે “હું, તો મહાયોગી, મને એવાં નિમિત્ત શું શું કરવાના હતા?”
જો મહાયોગી પણ એવાં નિમિત્ત સેવવા જય, તો પતનનાં પગરણ શરુ થયાં જ સમજો. સિંહ ગુફાવાસી મહાયોગી મુનિ વેશ્યાવાસનું નિમિત્ત સેવવા ગયા તો પતનનાં પગરણ મંડાયા ને ? મહાયોગીએ પણ એવાં નિમિત્ત ટાળવાનાં, તો બીજાનું શું પૂછવું ?
આષાઢા ભૂતિ નાટકિયાની યુવાન પુત્રીઓના પ્રસંગમાં રોજ થોડા પણ આવ્યા, તો એ ખરાબ નિમિત્તે એમને પતનના માર્ગે દોર્યા અને અંતે એ મુનિપણું મૂકી દઈને એની સાથે બેસી ગયા. એકવારનાં પણ સ્ત્રીદર્શનમાં લોભાયા કે ગબડ્યા ! ફરીથી એ ટાળીને જો વૈરાગ્ય ભાવનામાં રક્ત રહ્યા હોત તો બચત. પણ આ તો રોજ ને રોજ એ દર્શન કર્યો ગયા પછી ત્યાં મન મનાવવાની વૈરાગ્ય ભાવના હોય તો ય એ બિચારી પાંગળી થઈ જાય. એ ભાવના તો નામની, ને ખરેખર તો ઈષ્ટ સંયોગનું આર્તધ્યાન ચાલુ થઈ જાય, મનને પકડી લે અને રાગને પુષ્ટ બનાવી દે.
લલિતાંગનું શું થયું?
પેલા લલિતાંગ રાજકુમારે મંત્રી પત્નીનાં દર્શનનું નિમિત્ત સેવ્યું અને સમાગમની માગણી કરી, ત્યાં પાછું સામાના મોહક ગદ્ગદ્ શબ્દ પર ખેંચાયો, તો હવે રોજના સંબંધ પર મન લગાડે છે. મંત્રીપત્ની ય રાજકુમારની પ્રાર્થનાનું નિમિત્ત મળતાં પતનના માર્ગે ખેંચાય છે, પ્રાર્થનાનો સ્વીકાર કરે છે અને કુમારને ય ઉપાય બતાવે છે.
મંત્રીપત્ની ઉપાય કહે છે:
મંત્રી પત્ની કહે છે, “જુઓ, તમે તમારા આવાસથી એક સુરંગ ખોદાવો અને તે મારા ઘરના કૂવાની અંદરની દિવાલ સુધી લઈ આવો. ત્યાં પછી તમારા માણસો મને ઝીલી લેવા તૈયાર રાખો. આ બાજુ હું પતિ સાથે રોજ થોડું થોડું ઝગડાનું નિમિત્ત રાખીશ અને એ સુરંગ તૈયાર થઈ ગયે એક દિવસ ઝગડો વધારીને કૂવે પડીશ. ત્યાં તમારા માણસો મને ઝીલીને તમારા મહેલમાં લઈ આવે એવું ગોઠવજો. પછી બધું ગુપ્ત ગુપ્ત ચાલશે.”
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org