________________
–લન ધ્યાન અને જીવન - ઈલાચીપુત્ર થાક્યો છે. ઉંચા દોરડા પર નોધારા નાચવું એટલે જીવસટોસટનો ખેલ છે. એમાં થાકેલા પગે કદાચ લથડિયું ખાધું તો શું થાય ? નટડી મળવાની બાજુએ રહે અને મોતને ઘાટ ઉતરી જાય. આવું મહા સાહસ ખેડવા ય ઈલાચી પુત્ર તૈયાર ! કેમ ? પૈસા કમાઈ રૂપાળી નટડી પરણવી છે, એટલે ત્રીજીવાર ચડ્યો ઉપર અને નાચે છે.
બોલો, જેને આટલો બધો નટડીનો મોહ હોય એને ત્યાં જ વૈરાગ્ય થાય ? રાજાની નટડી પર તાકેલી નજર જોઈને એને ખ્યાલ પણ આવ્યો છે કે
‘હું ધન વાંછું રે રાયનું, રાય વંછે મુજ ઘાત'
છતાં લાલચમાં છે કે હવે તો નાચીને દાન મેળવીશ. આટલા લાલચુ અને વિષયલંપટને વૈરાગ્ય થાય ? પણ કેમ થયો? દેખ્યું -
થાળ ભરી શુદ્ધ મોદક, પદ્મિની ઉભેલા બાર, લ્યો લ્યો કહે છે લેતા નથી, ધન ધન મુનિ અવતાર.”
દિવસનો સમય છે. મુનિ ગોચરી અર્થે એક ઘરના બારણા આગળ ઊભા છે. પદ્મિની સ્ત્રી, રૂપ રૂપનો અંબાર, લાડવાનો થાળ લઈ આવી ઊભી રહીને મુનિને વિનંતી કરે છે, “ભગવંત ! લ્યો, આ લાડુનો લાભ આપો.” મુનિ નીચી દૃષ્ટિ રાખી ઊભા છે. અભિગ્રહધારી હશે, ને અહીં અભિગ્રહ પૂર્ણ નહિ થતો હોય, યા લાડનો ખપ નહિ હોય, તે મુનિ લેતા નથી. ઊંચા દોરડા પરથી ઈલાચી પુત્ર આ દેશ્ય જુએ છે, ત્યાં એના મનને થાય છે કે “ધન્ય મુનિ અવતાર !”
શાના ઉપર આ થયું ? મુનિ શું લાડુ નથી લેતા એના ઉપર ધન્યવાદ ? ના, એ તો પોતાને જો ખાવાનો રસ હોત તો “આ મિઠાઈ મફત મળતી છતાં નથી લેતા એ જોઈ ધન્યવાદ દેત. અહીં તો એને નટડીનો રાગ છે, તો મુનિનું એવું શું જોયું કે એથી મુનિને ધન્યવાદ આપે છે ? આ જ કે પદ્મિની સ્ત્રી સામે ઊભી છે છતાં મુનિ મોં એની સામે ન રાખતાં, યા એના મુખ પર નજર ન રાખતાં, નીચી મૂંડીએ ઊભા છે. એ જોઈને ઈલાચી મુનિ જીવનને ધન્યવાદ આપે છે. મુનિમાં નટડી કરતાં ય સારા કુળ-શીલ અને સૌંદર્યવાળી પદ્મિની સ્ત્રીને જેવા સરખી ય
જ્યાં વાત નથી અને પોતે નટડીમાં આખો ને આખો લુબ્ધ છે ! એવા મોટા તફાવતને જોતાં ઈલાચીકુમાર પોતાની જાતને ધિક્કાર આપે છે, એને પોતાના વિષયરસ પર કમકમી ઉપજે છે અને એ રીતે વૈરાગ્યનો ભાવ ઝળહળી ઊઠે છે –
ધિક્ ધિક વિષથી રે જીવને, ઈમ પામ્યો વૈરાગ્ય.'
નટડી ખાતર દોરડા પર નૃત્ય કરનાર ઈલાચીપુત્રને મુનિની ચર્ચા જોવાનું નિમિત્ત મળતાં વૈરાગ્ય જાગી ગયો. મુનિ જે પદ્મિનીના મુખ કે ગાત્ર પર નજર
......
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org