SearchBrowseAboutContactDonate
Page Preview
Page 201
Loading...
Download File
Download File
Page Text
________________ - ૧૮૮ની ધ્યાન અને જીવન - વારની પંચાતી જ નહિ. હું તો જાઉં છું.” બસ, સાધુવેશ મૂકીને ચાલવાનું કરે છે, વિષયગુલામી કેવી વિટંબણા દે છે ! મામુલી ઠપકાને ચારિત્ર મૂકી દેવાનું નિમિત્ત બનાવે છે. ત્યાં ગુરુ ચોંકી ઉઠે છે, સમજાવે છે કે, “ભાગ્યવાન ! ખરી હકીકત શી છે, કહે. આમ કાંઈ તારા જેવો લાયક સાધુ આટલા મામુલી ઠપકા પર ચારિત્ર ન મૂકી દે. તો મૂકવાનું ખરું કારણ કહે. તારા પર અમારો ઉપકાર છે, તો તું અમને વસવસામાં રાખીને જઈશ?” ગુરુ પાસે ઈકરાર : ગુરુ બોલતાં ગળગળા થઈ ગયા. એ જોઈ આષાઢા ભૂતિનું હૈયું પણ પીગળી ગયું. આંખમાં પાણી આવી ગયાં, રોતી સૂરતે કહે છે, “ગુરુજી ! ક્ષમા કરો મને, હું આપનો વિશ્વાસઘાતી નરાધમ શિષ્ય છું. આજ સુધી આપનાથી છૂપી રીતે મેં નાટકિયાની બે પુત્રીઓ પર મોહ કર્યો છે...' એમ કહીને બનેલી બધી હકીકત કહી છે “હવે હું મોહથી પરવશ થઈ ગયો છું તેથી એની સાથે રહીશ.” માંસ-મદિરાથી બચે તો : ગુરુએ પછી તો ન પડવા વૈરાગ્યનો ઘણો ઉપદેશ આપ્યો, પરંતુ મુનિએ લાચારી બતાવી, ત્યારે ગુરુએ છેવટે કહ્યું કે, “જે, તું જાય જ છે, તો ત્યાં માંસ અને મદિરાથી દૂર રહેજે. તો ક્યારે પણ ઊંચો આવીશ.” ગુરુનું વચન માથે ચડાવી આષાઢા ભૂતિ ગયા. જઈને નાટકિયાની પુત્રીઓને સાફ જણાવી દીધું કે “જુઓ આવ્યો છું, પણ તમે કદી માંસ-દારૂને ન અડવાનું કબૂલ કરો તો તમારી સાથે રહું, નહિતર તો હું આ ચાલ્યો.” પેલીઓએ કબૂલ કર્યું અને આષાઢાભૂતિ ત્યાં રહી ગયા. મન ભાવુકઃ નિમિત્ત પર ભાવિત ઃ પ્રયોગ સતતઃ કેવું પતન? ખરાબ નિમિત્ત સેવવા જાઓ, યા ખરાબ નિમિત્ત આવી પડે એને વધાવી લો, એટલે પહેલાનું શાંત મન પણ અશાંત બનવા લાગે છે. મન ભાવુક છે, જેવું નિમિત્ત મળે એ પ્રમાણે ભાવિત થઈ જાય છે. મહાયોગીઓની વાત કરતા નહિ. છતાં એ ય ચાહીને ખરાબ નિમિત્ત સેવે નહિ, કે વધાવે નહિ. માટે આ પ્રયોગ તો ખૂબ ચાલુ રાખો કે જ્યાં કોઈ અસત્ નિમિત્ત આવ્યું કે તરત ખસી જવું. ખસાય એમ ન હોય તો આંખ-કાન-મનને તો એમાં નહિ જ જોડવાના. દા.ત. કોઈ નિંદાનું બોલવા માંડે તો આપણે એ સાંભળવા કાન બંધ કરવાના. ને એ માટે મનને કોઈ રસમય તત્ત્વ યા ચરિત્રના વિચારમાં કે નવકાર ગણવામાં જોડી દેવાનું. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004948
Book TitleDhyan ane Jivan
Original Sutra AuthorN/A
AuthorBhuvanbhanusuri, Padmasenvijay
PublisherOmkar Gyanmandir Surat
Publication Year1998
Total Pages478
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size23 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy