________________
ન ધ્યાન અને જીવન ૧૮૭૦વિવેક નહિ. માત્ર કામનો એક પ્રકારનો ઉન્માદ છે, મૂઢતા છે. હવે ત્યાં પ્રભુ આગળ ભાવભક્તિ કરનારો આ પાપદર્શનથી બચવા કાં તો મોં ન ફેરવી નાખે, યા આંખ ન મીંચે, તો કેમ બચે ?
પ્ર.-એમ શું કામ કરે? એવા રૂપ ઉપર વૈરાગ્ય ભાવના કરે તો બચી શકે ને?
ઉ.-હાં, બચી શકે, પણ ક્યારે? એવા ઉદ્ભટ વેશ અને રૂપાળા અંગોપાંગ પર આંખ ચાલુ રાખીને નહિ. વૈરાગ્ય ભાવના પરરૂપ દર્શન ચાલુ રાખીને ન કરાય. આંખ તો પહેલી ખસેડવી પડે, ને પછી મનમાં એનો રાગ ન રહે એ માટે વૈરાગ્ય ભાવના કરે, તો બચી શકે. રૂપનાં દર્શન ચાલુ અને વૈરાગ્ય ભાવના કરવા જાય, ત્યાં ઠગાય.
મન તો ચોર છે, અનંતા કાળનું વિષયદર્શન પર રાગલબ્ધ થવાને ટેવાયેલું છે. એટલે વૈરાગ્ય તો ઉપલકિયો, ને રાગાસતિ અંદરની ઉઠવાની. રૂપાળા વિષયોમાં ઈન્દ્રિયોને ડુબતી રાખવી છે ને વૈરાગ્યનો ચાળો કરવો છે. બાપાના ખેલ નથી કે એમ વૈરાગ્ય હૈયે ઝળહળે.
એ ભરતચક્રવર્તી જુદા કે જે એમ વૈરાગ્ય ઝળહળાવીને અંતે અરીસા ભવનમાં કેવળજ્ઞાન પામી ગયા.
તમારે-અમારે તો વિષય સંપર્કથી પહેલાં પાછા હટવું પડે, નહિતર તો રાગની જ રમત ચાલ્યા કરે.
એટલા જ માટે પ્રભુદર્શન-ગુણગાન વખતે વચ્ચે આવતા લફરાં વખતે આંખ મીંચી જ દેવી પડે અને પછી માનસિક પ્રભુદર્શન કરવા પડે, જાણે આંખ પરનાં પડળ પારદર્શક, તે એની આરપાર એકલા પ્રભુ જ દેખાયા કરે. નહિતર તો પરસ્ત્રી જોતાં અતિ બહુ રૂઢ સ્ત્રીદર્શનના સંસ્કાર જાગ્રત્ થવાના, ને પ્રભુદર્શનને પડતાં મૂકાવી એ વિષયરાગને પોષવાનાં.
આષાઢાભૂતિ મુનિ રોજનાં યુવતી દર્શનનાં ખોટાં નિમિત્તથી પડ્યા. નાટકિયાની પુત્રીઓને હૈયા ધારણ આપી ઉપડ્યા મુકામે.
ગુરુ પૂછે છે, “આજ કેમ વાર લાગી ?'
બસ, આષાઢાભૂતિને જરાક નિમિત્ત જોઈતું હતું, તે મળી ગયું. ઝટ ગુરુને કહે છે, “એમાં વાર શાની ?'
“અલ્યા પણ આટલી બધી વારને તું વાર નથી ગણતો ? આમે ય રોજ કંઈક વધુ વખત તો લાગતો જ હતો ને ? આજે વધુ લાગ્યો. કેમ ?”
વિષયગુલામીની વિટંબણા : આષાઢાભૂતિ કહી દે છે, “લ્યો ત્યારે આ તમારો આપેલો ઓઘો. હવે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org