________________
ધ્યાન અને જીવન
ય
વેશ,
અરે ! એમ ને એમ પણ યુવતીનાં નિરીક્ષણમાં પતન છે, પછી એનાં ચેનચાળા જોવામાં તો પૂછવાનું જ શું ? ભારત સામે ચીનની મોરચાની તૈયારી ચાલી રહી છે ને ? એમ બ્રહ્મચારી-સદાચારીની સામે મોહરાજાનો આ મોરચો છે કે એની સામે યુવતીઓને લાવી ખડી કરે. એમાં વળી આજે તો સ્ત્રીઓના ઉદ્ભટ અંગોપાંગ-પ્રદર્શનના ખુલ્લા બજાર અને એ સ્ત્રીઓની છાપા-સિનેમા-રેડિયોથી ઉત્તેજિત વાસના, પછી એ શીલ સામે મોહને કેવા મોરચારૂપ બને ? ત્યાં સદાચારીએ સમજી જ રાખવું પડે કે ‘મારી સામે આજની દુનિયામાં રહીને મોહના આ મોરચા ચાલુ જ રહેવાના, પણ મારે કડક મનથી એની સામું જ નહિ જોવાનું. જો એકવાર પણ નિરીક્ષણ કર્યું છે તો મોત થશે, હરામચસકો લાગશે. નિરીક્ષણ-માત્રમાં પણ વીર્ય ખત્મ થતું જશે.’
સ્ત્રીદર્શનમાં વીર્યનાશ કેમ ? :
આયુર્વેદ-શાસ્ત્રીઓ કહે છે કે રાગથી પરસ્ત્રીનું નિરીક્ષણ કરવામાં અંગમાં વિકાર જાગે છે, લોહી ગરમ થાય છે અને એ ઉષ્ણતા વીર્યને પાતળું પાડી મૂળ સ્થાનમાંથી ચલિત કરી દે છે. પછી એ ખળમાં ભળી જઈ શરીરમાંથી એક યા બીજા દ્વારે વહી જાય છે. વીર્ય તો છેલ્લી ધાતુ છે, શરીરનો રાજા છે. રાજા બળવાન, તો પ્રજા સુરક્ષિત, એમ વીર્ય બળવાળું ઘટ્ટ, તો શરીર-ગાત્ર-ઈદ્રિયો સુરક્ષિત સારાં.રાજા નબળો પડે તો પ્રજા લૂંટાય. આજે રાષ્ટ્રપતિ અને વડાપ્રધાનની નબળાઈમાં પ્રજાને લૂંટાવાનું ચાલી રહ્યું છે ને ? એમ વીર્ય નબળું, તો (૧) શરી૨ શક્તિઓ લૂંટાય, (૨) ગાત્રો ઢીલાં પડે, (૩) ઈન્દ્રિયોનાં તેજ લોપાય. પછી ત્યાં (૪) સહેજ સહેજમાં તાવ, ખાંસી, શરદી વગેરે રોગો ઊઠે, (૫) યુવાનીમાં ઘડપણ આવે, (૬) ઘડપણમાં સાવ નિસ્તેજ નખાઈ ગયેલા બનવું પડે, (૭) સ્મરણ શક્તિ બુઠ્ઠી થઈ જાય, ને (૮) ઉત્તમ સાત્ત્વિક ભાવનાઓ મોંઘી બને. એકલાં પરસ્ત્રી દર્શનનાં કેટકેટલાં નુકસાન ! સજ્જનતા-સાધુતા તો ગઈ જ. દર્શનથી અંતરમાં છબીલીઓ રમતી થઈ જાય ત્યાં પછી સદાચાર, સદ્ વિચાર, પ્રભુપ્રેમ, ગુરુભક્તિ, સંયમ વગેરે શાના ઊભા રહે ?
બહાર જે ને તે જોવાનું બંધ કઈ રીતે કરાય ? :
૧૮૫
માટે ડાહ્યા હોય તે પરસ્ત્રીનાં એકવારનાં પણ નિરીક્ષણથી બચે, દૂર રહે, મનને માંડવાળ કરે કે ‘એમાં શું જોવું છે ?' મન રોક્યું ન રહે એમ લાગતું હોય તો આંખ મીંચી મનમાં જ ગ્લાનિ સાથે કલ્પી મનને કહે, ‘લે, જો, શું જોવું છે ? આ જ ને કે આવી રૂપાળી હશે. એથી વિશેષ શું હોવાનું હતું ?' અલબત્ આમાં સાથે સાથે ઘૃણા ગ્લાનિ જોરદાર રાખવાની, જેથી અંતરમાં એ કલ્પેલ જરાય ન અડે. પરંતુ એ રીતે બહારનું જોવાની માંડવાળ થાય તો બહાર જોવાનું બંધ થઈ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org