SearchBrowseAboutContactDonate
Page Preview
Page 197
Loading...
Download File
Download File
Page Text
________________ -૧૮જન ધ્યાન અને જીવન - પતનથી બચવા અપકૃત્ય-અસત્ વચનને કે લલચામણને પહેલે તબક્કે જ અટકાવો. નહિતર એકવારનું પતન અસત્ નિમિત્ત બની જશે, ને એ પતનની પરંપરા સર્જશે. નિમિત્ત બળવાન છે. નંદીષણ વેશ્યાની લલચામણથી પડ્યા. આષાઢાભૂતિ મુનિનું દૃષ્ટાંત આષાઢાભૂતિ મુનિ નાટકિયાની બે પુત્રીઓના હાવભાવ અને પ્રાર્થનાનાં નિમિત્તથી પડ્યા. એ નિમિત્ત પણ પોતાની લાડવાની લાલસાના નિમિત્ત પર ઊભું થયું હતું. અજાણતાં એ નાટકિયાને ત્યાં ગોચરી ગયા. ભિક્ષામાં એક લાડુ મળ્યો. બહાર નીકળી ચાલ્યા, પણ વિચાર આવ્યો કે “આ લાડવો તો આચાર્યના પાત્રે જશે. મને શું રહે?' એટલે વેશ બદલી ફરીથી એ ત્યાં જ વહોરવા ગયા. બીજો લાડવો મળ્યો, લઈ ચાલ્યા. પાછો વિચાર આવ્યો કે “આ તો ઉપાધ્યાયને પાત્રે જાય. મને શું મળે ? ફરીથી વેશ-વાણી-મુદ્રા બદલીને ત્યાં જ ગોચરી ગયા. નાટકિયાએ મેડી પરથી આ વેશ-વાણી-મુદ્રાના પરિવર્તન જોયાં. એને થયું કે “આ માણસ નાટક સારાં કરી શકે.” તેથી નીચે આવી મુનિને વિનંતી કરે છે, “રોજ લાભ આપજે.” કહીને બે-ચાર લાડવા વહોરાવી દીધા. મુનિ ખુશી થઈને ગયા. બીજી બાજુ નાટકિયાએ પોતાની બે દીકરીઓને સમજાવી દીધું કે “જુઓ, આ તો એના એ જ મુનિ વેશ વગેરે ફેરવી ફેરવીને આવેલા. મેં મેડી પરથી એમને વેશ-પરિવર્તન કરતાં જાયેલા. એટલે આ તમારે નાટક માટે બહુ કામનો માણસ છે, કુશળ કારીગર છે. તેથી રોજ એ આવે એટલે સારું સારું વહોરાવજો અને સાથે હાવભાવ વગેરેથી લલચાવો, વશ કરતા જજો. પછી એક દિ' એ સાધુપણું મૂકી તમારે ત્યાં આવ્યો સમજે.” મુનિ રોજ આવતા ગયા, ને પુત્રીઓએ કામણ કરવા માંડ્યા. એવાં કામણ કર્યા કે ક્રમશઃ મુનિ તદ્દન ઢીલા ઘેસ થઈ ગયા. સંયમની ભાવના મટી ગઈ. મોહની વાસના સજાગ થઈ ગઈ. બોલો, કેમ આ બધું? કહો, એકવાર પણ લાડવાની લાલસા જાગી તો એને સભાવનાથી દાબી દેવી જોઈતી હતી. એના બદલે ફરી ફરી વહોરવા જઈને લાલસાને પોષી. એ એકવાર પણ લાલસા પોષણનું નિમિત્ત સેવ્યું, તો ચાલ્યા પતનના માર્ગે. રોજ ને રોજ મેવા-મિઠાઈ અર્થે એકના એક જ ઘેર જવું એ પતનનો માર્ગ છે, પતનનું નિમિત્ત છે. યુવતીઓના હાવભાવ જોવા એ પતનનું નિમિત્ત પતનનો માર્ગ છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004948
Book TitleDhyan ane Jivan
Original Sutra AuthorN/A
AuthorBhuvanbhanusuri, Padmasenvijay
PublisherOmkar Gyanmandir Surat
Publication Year1998
Total Pages478
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size23 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy