SearchBrowseAboutContactDonate
Page Preview
Page 195
Loading...
Download File
Download File
Page Text
________________ - ન ધ્યાન અને જીવન જીવની ઈન્દ્રિયોને જાણે સ્વાભાવિક રીતે વિષયો તરફ ઘસડી જઈ એમાં લીન બનાવે છે. આત્માનો મૂળ સ્વભાવ નથી કે એ વિષયોમાં લીન થાય. કુસંસ્કારોનું એ તોફાન છે. એ લીનતા હજી કદાચ તેવું નિમિત્ત મળવા પૂર્વે મર્યાદિત વિષયોમાં હોય, પરંતુ જે ખતરનાક નિમિત્ત મળે તો તો પછી પેલા કુસંસ્કાર જોરમાં ખળભળી ઊઠી મર્યાદા-બહારના વિષયની લાલસા ઊભી કરી એમાં લીન બનાવે છે ! અહીં મંત્રી પત્નીને ઉદ્યાનમાં રૂપાળા રાજકુમારે નિરખવી અને પેલીને નિમંત્રણ મળવું, એ નિમિત્ત તરીકે મળ્યું, એટલે બંને પરસ્પરની પ્રત્યે આકર્ષાયા. રાજકુમારને પરસ્ત્રીનું રાગથી દર્શન, એ નિમિત્ત અને યુવતીને રાજકુમારની પ્રાર્થના નિમિત્ત તરીકે મળી, એને એણે વધાવી. બંને ભૂલા પડ્યા. અનર્થનાં આંધણ મૂકાયાં. માટે જ સમજી રાખો, આત્મખજાને વિષય લાલસાના કુસંસ્કારો સુષુપ્ત પડેલા જ છે, એમાં જો એવું કોઈ અસત્ નિમિત્ત વધાવ્યું, દા.ત. જરાક પરપુરુષ કે પરસ્ત્રીનાં નિરીક્ષણમાં પડ્યા તો એ વિષય લાલસાના સંસ્કાર જાગતા થઈ જવાના, ને લાલસા ઊભી થવાની. એમાં વળી જો સામાની માગણી મન પર લીધી તો તો મર્યા જ સમજે. નંદીષેણ મુનિ મોહને દબાવવા મથનારા મહા તપસ્વી હતા. એ ભિક્ષાર્થે અજાણતા વેશ્યાના ઘરમાં પેઠા, પણ પછી વેશ્યાની માગણી પર કાન ને મન ધરવા ગયા, તો સુષુપ્ત સંસ્કારો જોર કરી ગયા. એણે મુનિનું ઘોર પતન કરાવ્યું. ત્યાં ભલે વેશ્યાએ માગણી કરી, પણ પોતે જો સાંભળવા વિચારવા ન ઊભા હોત અને ચાલી નીકળ્યા હોત, તો બચી જવાને જગા રહેત. પણ ના, ખોટાં નિમિત્તને વધાવ્યું, તો પૂર્વે શીલભંગથી બચવાની ગજબ જહેમત છતાં, પળવારમાં પડ્યા. નિમિત્ત મારે છે, ને નિમિત્ત તારે છે. જીવનમાં ખરાબ નિમિત્તો સેવનાર મરે છે, ત્યારે સારા સત્સંગ, સંદૂ વાચન વગેરે નિમિત્તો સેવનાર તરી જાય છે. વા-વા કલાક સમય મળ્યો, જાઓ ભગવાન પાસે જઈ બેસો, યા સંયમી સાધુ કે કોઈ ધર્માત્મા સ્નેહી પાસે જઈ બેસો, તો એ સારું નિમિત્ત વધાવ્યું, એથી સુંદર આત્મિક હિતનો લાભ થવાનો. એથી ઊલટું, કોઈ વાતોડિયાની પાસે કે કોઈ નિંદાપોરની પાસે જઈ બેઠા, યા કોઈ સિનેમામાં પેઠા કે બજારમાં જરાક અમથી લટાર મારવા નીકળ્યા, તો એ અસતુ નિમિત્ત સારા સંસ્કાર પર ઘા કરી વિષય-કષાયની એક યા બીજા પ્રકારની લાગણી ઊભી કરશે. એનો અર્થ, ખોટાં નિમિત્તથી મરવાનું. નિશ્ચયમૂઢ સોનગઢમતી કહે છે કે, “નિમિત્ત કશું કરતું નથી !' પણ એમ કહેનાર અસત્ય બોલે છે, કેમકે પોતે જ શ્રોતાનું નિમિત્ત પામીને જ ભાષણ ઠોકે છે, પણ એકાંતમાં એકલા બોલવા નથી બેસતા. શ્રોતા પણ કલાક ભાષણ ચાલે ત્યાં સુધી એ નિમિત્તથી બેસે છે, પણ ભાષણ બંધ થયા પછી ત્યાં એમજ કલાક Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004948
Book TitleDhyan ane Jivan
Original Sutra AuthorN/A
AuthorBhuvanbhanusuri, Padmasenvijay
PublisherOmkar Gyanmandir Surat
Publication Year1998
Total Pages478
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size23 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy