________________
ધ્યાન અને જીવન
૧૮૧
અનશન યાને ઉપવાસ, એકાસણું, બેસણું, ટંકનિયમ વગેરે હોંશપૂર્વક, જ્યાં જેવો અવસર ત્યાં તે પ્રમાણે કર્યે જાઓ, તેથી અંદરમાં આહાર સંજ્ઞાને કચરનારું સત્ત્વ ઊભું થશે.
સત્ત્વના અભાવે યોગભંગ :
આ સત્ત્વને મામુલી ન સમજતા. સત્ત્વના અભાવે ભજનમાં ભોજનની સંજ્ઞા ઊભી થઈને ભજનને ડહોળી નાખે છે. મન પ્રભુમાંથી પુદ્ગલમાં દોડી જાય છે. એમ સત્ત્વ નહિ હોવાથી સ્વાધ્યાયાદિ બીજી ધર્મસાધનાઓને અને તત્ત્વવિચારણાને આહારસંજ્ઞા અને વિષયસંજ્ઞા અટકાવી દે છે. ત્યાં શુભ યોગનો ભંગ થાય છે. યોગભંગ મનને નબળું પાડી ઉચ્ચ સાધના માટે અસમર્થ કરી નાખે છે. આવી મોટી નુકસાની અટકાવવી હોય તો સત્ત્વથી અટકાવી શકાય. આહારસંજ્ઞાને દાબવાનું સત્ત્વ પ્રગટાવ્યું હોય તો એ ભજનયોગ સાધનાની વચમાં ટપકી પડતી ભોજનસંજ્ઞાને અટકાવશે. તેથી યોગભંગ નહિ થાય, મન નબળું નહિ પડે અને એમ ઉચ્ચ સાધના માટે મન સશક્ત રહેશે. અનશનના તેમજ દ્રવ્યસંકોચ-રસત્યાગ-કાયકષ્ટ-સંલીનતા વગેરે બાહ્ય તપના સારો અભ્યાસ રાખીને પ્રગટ કરેલા સત્ત્વના આવા બધા યોગઅભંગ વગેરે સુંદર લાભો છે. બાહ્ય તપથી સત્ત્વ. સત્ત્વથી યોગસ્થિરતા. એથી મનની સબળતા. સબળ મનથી ઉચ્ચતર યોગ પર આરોહણ ! એમ કરતાં મહાસત્ત્વ અને ક્ષપકશ્રેણિ ! આમ બાહ્ય તપની સાત્ત્વિક ઉચ્ચ સાધના અલૌકિક પ્રભાવ ઊભો કરે છે. આના પર એક સુંદર દૃષ્ટાન્ત જુઓ.
૨૬. લલિતાંગ મુનિ અને અસંમત નાસ્તિક
લલિતાંગ રાજકુમાર મુનિ અને અસંમત નાસ્તિકનો સુંદર પ્રસંગ છે, જેમાં એ મુનિના જંગી તપથી પ્રગટેલા સત્ત્વ પરની સાધનાનો અદ્ભુત ચમત્કારિક પ્રભાવ જોવા મળે છે. ત્યારે પહેલાં એ જુઓ કે આવા તપનું બળ અને ધગશ ક્યાંથી આવ્યાં ?
બન્યું એવું કે લલિતાંગ રાજકુમાર એકવાર વસંત-ઉત્સવમાં નગર બહાર ફરવા નીકળ્યો છે. ત્યાં યુવાન મંત્રીપત્ની પણ આવી છે. લલિતાંગ એને જોઈ એના પર ઓવારી જાય છે, મોહી પડે છે અને મિત્રને મોકલી એને પૂછાવે છે કે તારો સમાગમ કેમ થાય ? જુઓ યુવાનીનો ઉન્માદ.
આત્મામાં જનમ જનમના દૃઢ કરેલ વિષય લાલસાના જોરદાર સંસ્કાર સૂતા પડેલા જ છે. માટે તો એ લાલસા અહીં સહજ જાગતી રહે છે અને નાદાન
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org