________________
૧૦ની ધ્યાન અને જીવન - બાહ્ય તપ વિવિધ લબ્ધિઓ ઉત્પન્ન કરે છે
ઋષભદેવ પ્રભુ પૂર્વના ત્રીજા ભવમાં ચક્રવર્તી. એ ચક્રવર્તીના વૈભવ વગેરે છોડી મુનિ બનેલા અને ચૌદ પૂર્વોનાં મહાજ્ઞાનને મેળવવાની ભગીરથ મહેનત સાથે બાહ્ય તપની એમણે જોરદાર સાધના કરેલી ! તેથી એમને એવી અચિંત્ય લબ્ધિઓ ઊભી થઈ ગયેલી કે એનાં વર્ણન સાંભળતાં ચમત્કાર પામીએ કે “અહો ! આત્મામાં કેવી કેવી અચિંત્ય શક્તિઓ ભરેલી છે !' માત્ર એને રોકનારાં કર્મોને હટાવવાની જરૂર છે અને તે બાહ્ય-આભ્યન્તર તપથી હટી શકે. પ્રભુના જીવને એક લબ્ધિ એવી ઊભી થયેલી કે એમના શરીરને અડીને ગયેલો પવન બીજા રોગીને અડે તો એનો રોગ દૂર થઈ જાય ! તપ વિના કોની તાકાત કે આવી લબ્ધિ પ્રગટ કરી આપે ?
બાહ્ય તપથી સત્ત્વ પ્રગટે સત્ત્વથી ક્ષપકશ્રેણી:
ત્યારે જે તારણહાર બાહ્ય તપથી લબ્ધિઓ ઉત્પન્ન થાય છે, એ બાહ્ય તપ આપણો એવો જોરદાર ન હોય તો એવી લબ્ધિ ઉત્પન્ન ન કરે, છતાં એની મૌલિક શક્તિના હિસાબે આત્માની અંદર જરૂર કાંઈક ને કાંઈક તાકાત તો ઊભી કરે જ છે, સત્ત્વને ખીલવે જ છે. કોઈ પણ મુમુક્ષુએ આ વિશ્વાસ અને ધીરજ રાખીને છએ પ્રકારના બાહ્ય તપમાં આગળ ને આગળ ધપાવવું જોઈએ. એવો અટલ વિશ્વાસ રાખવાનો કે “જેમ જેમ અનશનને ઊનોદરી, દ્રવ્યસંકોચ અને રસત્યાગ તથા કાયકષ્ટ ને સંલીનતા કરતો જાઉં તેમ તેમ અંદરખાને કર્મોનાં આવરણ તુટીને એવી શક્તિ અને સત્ત્વ ઉત્પન્ન થતાં જ જાય છે, સંગૃહીત થતાં જ જાય છે, કે જેના મહાસંગ્રહ ક્ષપકશ્રેણિ લાવનાર ઉચ્ચ કોટિનાં સત્ત્વ, ધર્મધ્યાન અને શુક્લધાન ઊભાં થઈ જશે ! નિરાશસ ભાવે અને હોંશપૂર્વક કરેલ છએ પ્રકારનાં બાહ્ય તપ નિષ્ફળ જતાં જ નથી. એ અંદરખાને ભવ્યશક્તિ-સત્ત્વ ઉત્પન્ન કર્યો જ જાય છે અને બાહ્ય તપથી જે પુણ્ય ઉત્પન્ન થાય એના કરતાં આ શક્તિ-સત્ત્વ ઉત્પન્ન થતું જાય એનું બહુ મહત્ત્વ છે.
સત્ત્વનું અતિ મહત્ત્વ
કેમકે ગુણસ્થાનકમાં ઊંચે ચડવાનું શેના પર થાય ? તો કે સત્ત્વ પર થાય, વાવત ક્ષપકશ્રેણીના તથા વીતરાગ બનવાના મહાસત્ત્વ સુધી પહોંચવા માટે એવી શક્તિ એવા સત્ત્વનો સંચય જ ઉપયોગી થાય છે. માટે એ કરવાની ખાસ જરૂર છે. તો પછી એ પ્રકારનાં બાહ્ય તપ વિના કેમ ચાલે?
છએમાંના એકેક બાહ્ય તપથી આત્મામાં તે તે જાતનું એવું સત્ત્વ ઉત્પન્ન થાય છે, કે જે સત્ત્વ ઉત્કૃષ્ટ ભેગું થવાથી રાગાદિનો સંપૂર્ણ નાશ કરવામાં ઉપયોગી થાય છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org