SearchBrowseAboutContactDonate
Page Preview
Page 191
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૭૮ ધ્યાન અને જીવન પ્રતિક્રમણ પછી પાપસેવનનો વાંધો ન માને તો મિથ્યાત્વ. કેમ ? મિથ્યાત્વ શું છે ? હેય (ત્યાજ્ય) તત્ત્વને ઉપાદેય માને કે ઉપાદેયને હેય માને, એ મિથ્યાત્વ. એટલે પાપમાત્ર છોડવા જેવાં જ છે, પરંતુ જો એ આચરવામાં વાંધો નહિ' એમ માને તો એનો અર્થ તો એ થયો કે, ‘એ ખુશીથી આચરાય' એમ માન્યું, તો તો એને ત્યાજ્ય ન માન્યાં. આવું મિથ્યાત્વ જ્યાં બેઠું હોય ત્યાં પછી એ ભલેને લાખ પ્રતિક્રમણ કરે કે પ્રાયશ્ચિત્ત લે, તો પણ પાપ નાશ ન પામે. મિથ્યાત્વની હાજરીમાં અભવીના અનંતીવારનાં ચારિત્ર નિષ્ફળ જાય છે. પ્રતિક્રમણ-પ્રાયશ્ચિત્તથી પાપનાશ થવા માટે સમ્યક્ત્વ તો પહેલું જોઈએ. દાનાદિક કિરિયા નવિ દીએ, સમકિત વિણ શિવશર્મ.’ સમ્યક્ત્વ વિના જ્યારે દાનાદિ ધર્મક્રિયાઓ મોક્ષસુખ ન આપી શકે, તો પછી પ્રતિક્રમણ-પ્રાયશ્ચિત્ત ક્રિયા પણ સમ્યક્ત્વ વિના કર્મનાશ અને મોક્ષ શી રીતે કરી શકે ? ‘સમ્યક્ત્વ’ એટલે સર્વજ્ઞ ભગવાને જે તત્ત્વને જેવાં સ્વરૂપનું કહ્યું હોય, તેને તે રૂપે સ્વીકારી તેના તરફ એનાં સ્વરૂપને યોગ્ય વલણ ધરવું. દા.ત. જ્ઞાનીએ પાપને ત્યાજ્ય સ્વરૂપનું કહ્યું છે, તો તેને ત્યાજ્ય રૂપે સ્વીકારવું અને પાપ પ્રત્યે તે સ્વરૂપને અનુરૂપ (યોગ્ય) માનસિક વલણ ધરવું, અરુચિ-અકળામણનું વલણ ને ભયનું વલણ રાખવું. વલણ એટલે મનનો ઝોક. એ પાપ પ્રત્યે મનનો ભયનો ઝોક હોય, ગ્લાનિનો ઝોક હોય, અરુચિ-અકળામણનો ઝોક હોય. પછી એવાં વલણ પર તો એનું ચાલે તો એ પાપને સદંતર છોડી જ દે. યાવત્ સર્વ પાપત્યાગ પર ચડી જાય. ન ચાલે ત્યાં પાપ કરવું પડતું હોય છતાં હૈયે એનો ક્લેશ હોય. ત્યારે જો એમ માને કે પાપો કરવામાં વાંધો નહિ, પ્રતિક્રમણ-ધર્મથી એ ધોવાઈ જશે, ૨૬ થઈ જશે', તો આનો અર્થ તો એ થયો કે પાપ પ્રત્યે ગ્લાનિ નથી, પાપને મૂળથી જ ત્યાજ્ય માન્યા નથી, પછી તો સમ્યક્ત્વ જ શાનું હોય ? તો એ વિના તો પ્રતિક્રમણ એ ધર્મ જ ન બને, એ પાપનાશ ન કરી શકે. સારાંશ પાપની સાથે સાથે ધર્મ ગમે તેટલો કરાય, પરંતુ તેથી પાપને બચાવ ન મળે, પાપ છોડવા જ જોઈએ. એમાં ઈન્દ્રિયોની અવિરતિનાં પાપ યાને વિષયાસક્તિનાં પાપનો ત્યાગ કરવા માટે છ પ્રકારનો બાહ્ય તપ અમૂલ્ય સાધન છે. એનાથી આત્મા પર નવાં પાપ ચોંટતાં અટકે છે, એટલું જ નહિ, પણ નિરાશંસભાવના પ્રખર તપથી જુનાં ૨કમબંધ પાપકર્મોનો ક્ષય થાય છે, ને એમાં લબ્ધિઓ ય ઊભી થાય છે. સનત્કુમાર ચક્રવર્તી મહામુનિએ સાતસો વરસ રોગિષ્ઠ સ્થિતિમાં પણ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004948
Book TitleDhyan ane Jivan
Original Sutra AuthorN/A
AuthorBhuvanbhanusuri, Padmasenvijay
PublisherOmkar Gyanmandir Surat
Publication Year1998
Total Pages478
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size23 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy