SearchBrowseAboutContactDonate
Page Preview
Page 190
Loading...
Download File
Download File
Page Text
________________ ધ્યાન અને જીવન પ્રથમ પદે પડિક્કમણું ભાખ્યું, પાપતણું અણુ-કરવું.’ ‘પ્રથમ પદ' એટલે ઉત્સર્ગ-માર્ગ અને ‘દ્વિતીય પદ' એટલે અપવાદ-માર્ગ. ઉત્સર્ગ-માર્ગે પાપત્યાગ એ પ્રતિક્રમણ, પછી અપવાદ માર્ગે પાપપશ્ચાત્તાપ, પાપઆલોચન (ગુરુને નિવેદન) અને પાપનો ‘મિચ્છામિ દુક્કડં' એ પ્રતિક્રમણ. ત્યારે પૂછો, પ્રતિક્રમણથી કયાં પાપ રદ ? પ્ર. એમ છતાં પ્રતિક્રમણ ધર્મથી જો પાપનાશ થાય છે તો ધર્મથી રદ થવાનું તો આવ્યું ને ? - ઉ. તે તો પૂર્વનાં અમુક જ પાપ રદ, પણ પ્રતિક્રમણ-ધર્મ સાથે કરેલાં ને બીજાં બધાં પાપ રદ નહિ. અલબત્ સૂક્ષ્મ દોષો પ્રતિક્રમણથી ૨૬ થાય, પરંતુ જે દોષો ગુરુ આગળ કહી એનું પ્રાયશ્ચિત્ત લેવા જેવા હોય, એ એકલા પ્રતિક્રમણથી નાશ ન પામે. એમ પાપો છોડવાની તાકાત છે છતાં પાપો આચર્યે જાય એ કાંઈ પ્રતિક્રમણથી કે પ્રાયશ્ચિત્ત માત્રથી રદ ન થાય. - પ્રતિક્રમણ-પ્રાયશ્ચિત્તથી બધાં પાપ રદ થતાં હોય તો પાપત્યાગની જરૂર શી ? બ્રહ્મચર્ય વ્રત લેવાની જરૂર શી ? વિષય સેવનનાં પાપ જીવનભર કર્યે જાય અને એનું પ્રતિક્રમણ-પ્રાયશ્ચિત્ત કર્યે જાય, એમાં વાંધો શો ? અરે ! એકલું આ જ પાપ શા માટે, ઘરવાસનાં બધાં પાપો સેવ્યે જાય પછી પ્રતિક્રમણ-પ્રાયશ્ચિત્તથી એ પાપો રદ થતા હોય, તો તો પાપ ત્યાગની જરૂર જ શી ? ઘરવાસ છોડી સર્વ પાપ-ત્યાગ પૂર્વક સાધુદીક્ષા લેવાનું ય શું કામ ? એમજ ઘરમાં બેઠે બેઠે પ્રતિક્રમણ કરવાથી પાપ રદ થઈ મોક્ષ થઈ જાય ! પણ ના, ચારિત્રથી સર્વ પાપત્યાગ કર્યા વિના મોક્ષ થતો જ નથી. એ સૂચવે છે કે પ્રતિક્રમણ-ધર્મ કર્યે રાખો અને સાથે પાપ આચર્યે રાખો, એમાં કાંઈ એ ધર્મથી બધાં પાપ રદ થાય નહિ. એમ કહેતા નહિ કે, પ્ર. તો પછી પ્રતિક્રમણ-પ્રાયશ્ચિત્તનો ઉપયોગ શો ? ૧૭૭ - ઉ. - ઉપયોગ એ છે કે પાપ સેવાઈ ગયાં હોય એનાથી બંધાયેલ કર્મમાંની બીજશક્તિ (અનુબંધ)નો તથા સૂક્ષ્મ પાપથી બંધાયેલ કર્મોમાંના કેટલાંયનો પ્રતિક્રમણથી નાશ થાય છે. પણ પાછું જો એમ માનતા રહેવાય કે ‘તો પાપ કરવાનો વાંધો નહિ, પ્રતિક્રમણ પ્રાયશ્ચિત્તથી એ રદ થઈ જશે', તો તો એ નિઃશૂકતા પિઠ્ઠાઈ આવી જવાથી એટલો ય પાપાનુબંધ પાપનાશ-કર્મનાશ થાય નહિ, તેથી સાચું પ્રતિક્રમણ જ થાય નહિ. ત્યાં તો પહેલું મિથ્યાત્વ જ લાગી જાય. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004948
Book TitleDhyan ane Jivan
Original Sutra AuthorN/A
AuthorBhuvanbhanusuri, Padmasenvijay
PublisherOmkar Gyanmandir Surat
Publication Year1998
Total Pages478
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size23 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy