________________
લે એવા કાન અને જીવ
ના પગલા
(૧૭૬ન ધ્યાન અને જીવન દૌર્ભાગ્ય' એટલે એવી કમનસીબી કે પોતે બીજાની સેવા કરતો હોય છતાં એનાં પગલાં. બીજને ગમે નહિ ! એ બીજની પાસે બેઠો હોય એ બીજાને ગમે નહિ ! ત્યારે
અનાયતા’ એટલે પોતાનું યુક્તિયુક્ત પણ વચન બીજાને માન્ય થાય નહિ. બીજા ઝટ એ ઉઠાવી લે નહિ.
આ કેદી કમનસીબી ? એક બાજુ ઋદ્ધિ-સમૃદ્ધિ હોય, પણ બીજી બાજુ આ દૌભંગ્યાદિની સ્થિતિ હોય ! શાથી એમ? કારણ એ જ કે પૂર્વે સારાં સુકૃત કરેલાં એનું ફળ ઋદ્ધિ અહીં મળી, પરંતુ પૂર્વે અભિમાનથી કોઈના ધૂત્કાર-તિરસ્કાર કે બીજું દુષ્કૃત્ય કરેલું એના યોગે દૌર્ભાગ્ય વગેરે અહીં સાથે આવીને ઊભું રહ્યું ! અરે ! કદાચ તિર્યંચનો અવતાર પણ આવીને ઊભો રહે !
જિન પ્રતિભા ભરાવ્યાનું સુકૃત છતાં ઘોડો કેમ થયો??
ભગવાન મુનિસુવ્રત સ્વામીએ જે ઘોડાને માટે ભરુચમાં પધારી અને પ્રતિબોધ કરેલો એને પૂર્વે શું થયું હતું? એણે એક બાજુ વિધિસર જિનમૂર્તિ ભરાવવાનું અને ઠાઠથી એની અંજનશલાકા-પ્રતિષ્ઠાવિધિ કરાવવાનું મહાન સુકૃત કરેલું ! તો શું એથી બીજી બાજુ વેપાર-રોજગારની કરાતી મોટી ધાંધલનાં પાપ રદ થયાં ? ના, એ પાપોએ તો એને ઘોડાનો અવતાર અપાવ્યો ! સુકૃત હતાં તેથી પુણ્યબળે રાજાના ખાસ ઘોડા તરીકેનાં માન-વૈભવ મળ્યાં. પણ તેથી શું ? અવતાર તો જનાવરનો ને ? માટે કહો,
સુકૃત-દુષ્કૃત્ય બંને આચરાય ત્યાં સુકૃતથી દુષ્કૃત્યો માફ નહિ થાય.
ધર્મ અને પાપ બંને સેવો ત્યાં ધર્મથી પાપ રદ નહિ થાય, સિવાય કે પાપનાં પ્રાયશ્ચિત્ત રૂપ ધર્મ કરો.
માટે જ જિનેશ્વર ભગવંતે સર્વ પાપના ત્યાગપૂર્વકના જ ધર્મને મુખ્ય કર્તવ્ય કહ્યો છે. પ્રતિક્રમણથી પાપની છુટ નહિ?
પ્ર. - પ્રતિક્રમણ ધર્મથી પાપ નાશ થાય છે ને?
ઉ. - એનો અર્થ એ નથી કે પાપ ગમે તેટલાં કરો એની છુટ છે અને પછી પ્રતિક્રમણ કરજો, એટલે પાપ નાશ પામી જશે.'
જૈન શાસન પાપની છુટ આપતું નથી, “પાપ કરવામાં વાંધો નહિ' એમ કહેતું નથી. એ તો પાપને ત્યાજ્ય જ કહે છે. નવ તત્ત્વ જુઓ એમાં પાપતત્ત્વ, આશ્રત (પાપજનક) તત્ત્વ અને બંધ (પાપકર્મ-સંબંધ) તત્ત્વને હેય યાને ત્યાજ્ય તત્ત્વ છે કહ્યાં છે. એટલે પાપને આચરવા જ નહિ જોઈએ. એટલા માટે તો કહ્યું,
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org