SearchBrowseAboutContactDonate
Page Preview
Page 188
Loading...
Download File
Download File
Page Text
________________ ધ્યાન અને જીવન ૧૭૫ આટલી ત્યાગ... વગેરેથી સંલીનતા કરવી જ જોઈએ.' આ બધું જરૂરી જ ન માને પછી એ ન આચરે અને એથી વિરુદ્ધ અશન, નિઃસંકોચ દ્રવ્યોપભોગ, રસલ્હાણ, સુખશીલતા વગેરે યથેચ્છ ઉડાવતા રહેવામાં એને ખેદ શાનો ? ત્યાં રાગ-દ્વેષ અને આર્તધ્યાન વળગ્યા જ રહેવાના. બકરાને કૂતરું માનવાની મૂઢતા : વળી મૂઢતાને લીધે એને રાગાદિનું ભાન પણ નહિ રહેવાનું. એ રાગાદિ ચોરોની એને ખબર જ નહિ પડે. ત્રણ ધુતારાથી ઠગાયેલા પેલા બ્રાહ્મણની જેમ બાહ્યતપ રૂપી બકરાને નુકસાનકારી કે આભડછેટ કરનારું કૂતરું માની છોડી દેશે અને જાલિમ કરડી ખાનારા કૂતરા તુલ્ય યથેચ્છ ખાનપાન-રસમોજ વગેરેને વળગ્યો રહેશે ! સારાંશ આ છે કે - આર્તધ્યાન અને એને કરાવનારા રાગ-દ્વેષથી કંઈકે બચવું હોય તો વિવિધ બાહ્ય તપ-નિયમ-કષ્ટ અત્યંત જરૂરી છે. એના વિના એકલા સ્વાધ્યાય-જાપ-ધ્યાનના ભરોસે ચાલવામાં રાગાદિ ચોરો એમજ મહાલ્યા કરશે અને એ ચોરો એમનું કટુ ફળ દેખાડવાના. જુઓ, આચાર્ય આર્ય મંગુ મહાન પ્રભાવક આચાર્ય હતા, સંયમી હતા, અનેકોના ઉપર ભારે ઉપકાર કરનારા હતા. છતાં જો વૃત્તિ સંક્ષેપ અને રસત્યાગ ચૂક્યા, તો ચોર જીભડીને અને એના ચોર વિષયોને મહાલવાનું થયું ! પરિણામ ? મરીને ઊંચા વૈમાનિક દેવલોકમાં જવાને લાયક એવા મહાન ધર્માચાર્ય હલકી જક્ષની યોનિમાં ગયા. અહીં સવાલ છે - પ્ર. - ચારિત્ર, ધર્મ પ્રભાવના, પરોપકાર વગેરે સુકૃતોએ એમને કેમ બચાવ્યા નહિ ? ઉ. - અહીં એક મહાન તત્ત્વ ધ્યાનમાં લો કે, સુકૃતથી દુષ્કૃત્યનાં ફળ ૨૬ થતા નથી. જૈનશાસન બતાવે છે કે ધર્મ મોટો આચરો, પણ જો સાથે નાનું પણ દુષ્કૃત્ય આચરશો, તો પેલા સુકૃતથી આનું પાપ માફ નથી થતું, આનું કટુ ફળ રદ નથી થતું. સુકૃતથી દુષ્કૃત્યનો બચાવ ન મળે : સુકૃત કરો છો તો ઈનામ લેજો, પણ સાથે દુષ્કૃત્ય જો કરો છો તો એની સજા ય લેજો. એક માણસ દાન મોટું દેતો હોય, પણ યાચકને ધુતકારતો હોય, તો પેલા દાનથી આ ધુત્કારવાનું પાપ માફ ન થાય. દાનનાં ફળ તરીકે વૈભવાદિ મળશે, પરંતુ સાથે ધુતકારવાનાં ફળરૂપે અપયશ, દૌર્ભાગ્ય નામકર્મ, અનાદેય નામકર્મ વગેરે કર્મ જડબેસલાક બંધાવાનાં અને એ બંધાયેલા પાપથી અપકીર્તિ-દૌર્ભાગ્ય-અનાદેયતા વગેરે ફળ પણ મળવાનાં. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004948
Book TitleDhyan ane Jivan
Original Sutra AuthorN/A
AuthorBhuvanbhanusuri, Padmasenvijay
PublisherOmkar Gyanmandir Surat
Publication Year1998
Total Pages478
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size23 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy